Site icon

 આર્થિક સંકટમાં આવી પડેલી રાજ્ય સરકારે મુંબઈના લોકોને આ ટેક્સ ભરવા માટેની નોટિસ આપવાની શરૂ કરી. તમને પણ આવશે નોટિસ. જાણો અહીં.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

12 ફેબ્રુઆરી 2021

ચાલુ વર્ષે મહારાષ્ટ્ર સરકારને કોરોના ને કારણે પારાવાર નુકશાન થયું છે. તેમજ કર પેટે ઘણા ઓછા પૈસા પ્રાપ્ત થયા છે. આ પરિસ્થિતિમાં ઝડપથી પૈસા વસૂલ કરવા માટે સરકારે હવે લોકોને ટેક્સની નોટિસ આપવાની શરૂ કરી છે.

મહારાષ્ટ્ર સરકારે મુંબઈ ઉપનગરોમાં રહેતી હાઉસિંગ સોસાયટીઓ તેમજ પ્લોટના માલિકોને નોન એગ્રીકલ્ચર ટેક્સ ભરવા માટેની નોટિસ પાઠવી છે.આ નોટિસ તબક્કાવાર રીતે એક પછી એક લોકોને પ્રાપ્ત થઇ રહી છે. લોકોને મળેલી નોટિસમાં તેમણે અગાઉ ભરવાના બાકી રહેલા પૈસા તદુપરાંત પેનલ્ટી પણ લગાડવામાં આવી છે.

શું છે નોન એગ્રીકલ્ચર ટેક્સ?

મુંબઈ શહેરને બાદ કરતા અન્ય તમામ જગ્યા પર જમીન માલિકોને નોન એગ્રીકલ્ચર ટેક્સ ભરવો પડે છે. આ રકમ જમીન પર મોજુદ કબજેદારો તેમજ માલિકોને ભરવી પડે છે. આ રકમ ઘણી મામુલી હોય છે પરંતુ જો આ રકમ સમયસર ન કરવામાં આવે તો જમીન માલિકને આ રકમ પર ઘણી મોટી પેનલ્ટી ચૂકવવી પડે છે.

રાજ્ય સરકારે અત્યારે કાર્યવાહી શરૂ કરી છે આથી તમામ મુંબઈવાસીઓને એક પછી એક નોટિસ મળશે.

Parbhani News: પરભણીમાં ખળભળાટ: બંધારણના અપમાનના આરોપી દત્તા પવારે ટૂંકાવ્યું આયુષ્ય, જેલમાંથી છૂટ્યાના ગણતરીના દિવસોમાં જ કરી આત્મહત્યા
Devendra Fadnavis vs Sanjay Raut : મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો! સંજય રાઉતની ધમકીને ફડણવીસે ગણાવી ‘પોકળ’, મુંબઈ બંધના એલાન પર ઉડાવી મજાક
Devendra Fadnavis on Mumbai: ‘અન્નામલાઈના ‘મુંબઈ’ વાળા નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! ફડણવીસે આપ્યો જડબાતોડ જવાબ, જાણો શું કહ્યું…
Devendra Fadnavis vs Ajit Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક! 15 જાન્યુઆરીએ કંઈક મોટું થશે? ફડણવીસની ભવિષ્યવાણીથી અજિત પવાર ખેમામાં ફફડાટ
Exit mobile version