Site icon

 આર્થિક સંકટમાં આવી પડેલી રાજ્ય સરકારે મુંબઈના લોકોને આ ટેક્સ ભરવા માટેની નોટિસ આપવાની શરૂ કરી. તમને પણ આવશે નોટિસ. જાણો અહીં.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

12 ફેબ્રુઆરી 2021

ચાલુ વર્ષે મહારાષ્ટ્ર સરકારને કોરોના ને કારણે પારાવાર નુકશાન થયું છે. તેમજ કર પેટે ઘણા ઓછા પૈસા પ્રાપ્ત થયા છે. આ પરિસ્થિતિમાં ઝડપથી પૈસા વસૂલ કરવા માટે સરકારે હવે લોકોને ટેક્સની નોટિસ આપવાની શરૂ કરી છે.

મહારાષ્ટ્ર સરકારે મુંબઈ ઉપનગરોમાં રહેતી હાઉસિંગ સોસાયટીઓ તેમજ પ્લોટના માલિકોને નોન એગ્રીકલ્ચર ટેક્સ ભરવા માટેની નોટિસ પાઠવી છે.આ નોટિસ તબક્કાવાર રીતે એક પછી એક લોકોને પ્રાપ્ત થઇ રહી છે. લોકોને મળેલી નોટિસમાં તેમણે અગાઉ ભરવાના બાકી રહેલા પૈસા તદુપરાંત પેનલ્ટી પણ લગાડવામાં આવી છે.

શું છે નોન એગ્રીકલ્ચર ટેક્સ?

મુંબઈ શહેરને બાદ કરતા અન્ય તમામ જગ્યા પર જમીન માલિકોને નોન એગ્રીકલ્ચર ટેક્સ ભરવો પડે છે. આ રકમ જમીન પર મોજુદ કબજેદારો તેમજ માલિકોને ભરવી પડે છે. આ રકમ ઘણી મામુલી હોય છે પરંતુ જો આ રકમ સમયસર ન કરવામાં આવે તો જમીન માલિકને આ રકમ પર ઘણી મોટી પેનલ્ટી ચૂકવવી પડે છે.

રાજ્ય સરકારે અત્યારે કાર્યવાહી શરૂ કરી છે આથી તમામ મુંબઈવાસીઓને એક પછી એક નોટિસ મળશે.

Devendra Fadnavis Conspiracy: મહારાષ્ટ્ર રાજકારણમાં મોટો ભૂકંપ! ફડણવીસ અને શિંદેને જેલમાં ધકેલવાનું હતું કાવતરું? પૂર્વ DGP સંજય પાંડે સામે કેસની ભલામણ
Atal Setu Coastal Road Connector: કામ પૂરું છતાં રાહ જોવી પડશે! અટલ સેતુ-કોસ્ટલ રોડ જોડાણ તૈયાર, પણ આ એક વિઘ્ને નવી મુંબઈ એરપોર્ટ જવાની ગણતરી બગાડી
Maharashtra Weather Update: મહારાષ્ટ્રમાં હાડ થીજવતી ઠંડી! ઉત્તરના પવનોએ મુંબઈ સહિત રાજ્યને ઠુંઠવી દીધું, જાણો આગામી 48 કલાકમાં ક્યાં પડશે વધુ ઠંડી
Raj Thackeray on Ladki Bahin Yojana: ‘1500 રૂપિયા તો 15 દિવસમાં પૂરા થઈ જાય છે’, રાજ ઠાકરેએ મોંઘવારી મુદ્દે સરકારને ઘેરી
Exit mobile version