Site icon

 આર્થિક સંકટમાં આવી પડેલી રાજ્ય સરકારે મુંબઈના લોકોને આ ટેક્સ ભરવા માટેની નોટિસ આપવાની શરૂ કરી. તમને પણ આવશે નોટિસ. જાણો અહીં.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

12 ફેબ્રુઆરી 2021

ચાલુ વર્ષે મહારાષ્ટ્ર સરકારને કોરોના ને કારણે પારાવાર નુકશાન થયું છે. તેમજ કર પેટે ઘણા ઓછા પૈસા પ્રાપ્ત થયા છે. આ પરિસ્થિતિમાં ઝડપથી પૈસા વસૂલ કરવા માટે સરકારે હવે લોકોને ટેક્સની નોટિસ આપવાની શરૂ કરી છે.

મહારાષ્ટ્ર સરકારે મુંબઈ ઉપનગરોમાં રહેતી હાઉસિંગ સોસાયટીઓ તેમજ પ્લોટના માલિકોને નોન એગ્રીકલ્ચર ટેક્સ ભરવા માટેની નોટિસ પાઠવી છે.આ નોટિસ તબક્કાવાર રીતે એક પછી એક લોકોને પ્રાપ્ત થઇ રહી છે. લોકોને મળેલી નોટિસમાં તેમણે અગાઉ ભરવાના બાકી રહેલા પૈસા તદુપરાંત પેનલ્ટી પણ લગાડવામાં આવી છે.

શું છે નોન એગ્રીકલ્ચર ટેક્સ?

મુંબઈ શહેરને બાદ કરતા અન્ય તમામ જગ્યા પર જમીન માલિકોને નોન એગ્રીકલ્ચર ટેક્સ ભરવો પડે છે. આ રકમ જમીન પર મોજુદ કબજેદારો તેમજ માલિકોને ભરવી પડે છે. આ રકમ ઘણી મામુલી હોય છે પરંતુ જો આ રકમ સમયસર ન કરવામાં આવે તો જમીન માલિકને આ રકમ પર ઘણી મોટી પેનલ્ટી ચૂકવવી પડે છે.

રાજ્ય સરકારે અત્યારે કાર્યવાહી શરૂ કરી છે આથી તમામ મુંબઈવાસીઓને એક પછી એક નોટિસ મળશે.

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version