Site icon News Continuous Bureau | Mumbai

Munawwar Rana : લખનઉમાં પ્રખ્યાત શાયર મુનવ્વર રાણાના ઘરમાં થઇ ચોરી, અધધ આટલા લાખના દાગીના ગાયબ, પોલીસ લાગી તપાસમાં..

Munawwar Rana : પ્રખ્યાત શાયર મુનવ્વર રાણાના ઘરેથી 40 લાખના દાગીનાની ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શાયર ની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાં તેમની સારવાર ચાલી રહી છે. પરિવારના સભ્યો પણ તેની દેખભાળમાં લાગેલા છે. તે દરમિયાન આ ઘટના બની છે.

Munawwar Rana : Thieves steal jewelry worth 40 lakhs from Munavvar Rana’s house

Munawwar Rana : Thieves steal jewelry worth 40 lakhs from Munavvar Rana’s house

News Continuous Bureau | Mumbai
Munawwar Rana : પ્રખ્યાત શાયર મુનવ્વર રાણાના ઘરમાંથી 40 લાખ રૂપિયાની ચોરી થઈ છે. જેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મુનશાયર વ્વર હોસ્પિટલમાં દાખલ છે ત્યારે ચોરોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. પરિવારના સભ્યો તેમની સારવાર માટે હોસ્પિટલમાં છે. જેનો લાભ લઈને ચોરોએ ઘરમાં ઘુસ્યા હતા.

મળતી માહિતી મુજબ, શાયર મુનવ્વર રાણા લખનઉના હુસૈનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એફઆઈ ઢીંગરા એપાર્ટમેન્ટના ફ્લેટમાં રહે છે. આ સમયે તેની તબિયત ખરાબ છે. જેના કારણે તે પીજીઆઈમાં દાખલ છે અને તેમની સારવાર ચાલી રહી છે.

Join Our WhatsApp Community

ચોરાયેલા દાગીના તેમની પુત્રી ફૌઝિયાના

આરોપ છે કે ઘરમાં રાખેલા લગભગ 40 લાખ રૂપિયાના દાગીના ચોરો ચોરી ગયા છે આ મામલામાં પોલીસે ફરિયાદના આધારે એફઆઈઆર નોંધી છે અને ચોરોને શોધી રહી છે. ચોરાયેલા દાગીના તેમની પુત્રી ફૌઝિયાના હતા. તેણે તેને બેગમાં ભરીને સ્ટોર રૂમમાં રાખ્યા હતા.

ચોરોની શોધ ચાલુ

આ મામલે DCPનું કહેવું છે કે ચોરીની ફરિયાદના આધારે ફરિયાદ નોંધવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ અને લોકોની પૂછપરછના આધારે ચોરોની શોધ કરવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Ahmedabad : અમદાવાદમાં લગાવાયેલા ટાયર કિલર બમ્પનો ફિયાસ્કો, વાહન ચાલકોએ શોધી કાઢ્યો આ જુગાડ.. જુઓ વિડીયો

લાંબા સમયથી બીમાર

જણાવી દઈએ કે મુનવ્વર રાણાની તબિયત ઘણા સમયથી સારી નથી. મે મહિનામાં પણ તેમની તબિયત લથડી હતી. આ પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે પણ તેમની તબિયત બગડી હતી. આ પછી તેમને લખનઉના SGPGIમાં દાખલ કરવામાં આવ્યો.

મળતી માહિતી મુજબ શાયર મુનવ્વર રાણા કિડનીની સમસ્યાના કારણે ડાયાલિસિસ કરાવી રહ્યા છે. અગાઉ દિલ્હીમાં પણ તેમની સારવાર થઈ હતી. તેઓ પ્રખ્યાત શાયર અને કવિ છે. તેમને ઉર્દુ સાહિત્ય માટે 2014નો સાહિત્ય એકેડમી પુરસ્કાર અને 2021માં શહીદ શોધ સંસ્થાન દ્વારા માટી રત્ન સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે વધતી અસહિષ્ણુતાના કારણે તેમને કોઈ પણ સરકારી પુરસ્કાર ન લેવાની કસમ ખાધી હતી

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version