News Continuous Bureau | Mumbai
Nabanna March : કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલે ચાલી રહેલા વિરોધ દરમિયાન વિદ્યાર્થીઓને માર મારવાના મુદ્દે રાજકારણ ગરમાયું છે. તેના વિરોધમાં ભાજપે બુધવારે 12 કલાકના બંધનું એલાન આપ્યું છે. તે જ સમયે, મમતા સરકારે જાહેરનામું બહાર પાડીને કહ્યું કે કાલે બંગાળમાં બંધ નહીં હોય, તમામ કર્મચારીઓએ ઓફિસમાં આવવું પડશે.
Nabanna March :કર્મચારીઓને હડતાળમાં ભાગ ન લેવા અપીલ
એટલું જ નહીં મુખ્યમંત્રી મમતા બેનર્જીના મુખ્ય સલાહકાર અલાપન બંદોપાધ્યાયે કહ્યું કે સરકારે બુધવારે કોઈ પણ બંધ માટે મંજૂરી આપી નથી. આ બંધમાં કોઈને પણ ભાગ ન લેવા માટે અપીલ કરવામાં આવી છે. બીજી તરફ, પશ્ચિમ બંગાળ જુનિયર ડૉક્ટર્સ ફોરમે મહિલા તાલીમાર્થી ડૉક્ટર માટે ન્યાયની માંગ સાથે 28 ઓગસ્ટે કોલકાતામાં મોટી રેલીની જાહેરાત કરી છે.
Nabanna March : ભાજપે આવતીકાલે બંધનું એલાન આપ્યું
ભાજપનો આરોપ છે કે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા લોકો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. તે જ સમયે, કોલકાતા પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચાર વિદ્યાર્થીઓ બેરિકેડ તોડી રહ્યા હતા, જેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી. વાસ્તવમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામાની માંગ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. વિદ્યાર્થીઓએ પહેલા જ ‘નબન્ના અભિયાન’ વિરોધની જાહેરાત કરી દીધી હતી.