Site icon

શું મહારાષ્ટ્ર સરકારમાં હજી મોટા ફેરફાર આવવાના છે-હવે ચર્ચા છે કે રાષ્ટ્રવાદી અને કોંગ્રેસના 15 ઘારાસભ્યો શિંદેસેના ભણી

News Continuous Bureau | Mumbai

શિવસેના(Shivsena) પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સામે બળવો કરીને શિવસેનાના ધારાસભ્યોને(Shivsena MLA) તોડી ભાજપની(BJP) સહાયથી મુખ્યમંત્રી(CM) બની ગયેલા એકનાથ શિંદે(Eknath Shinde) હવે કોંગ્રેસ(Congress) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં(NCP) ભંગાણ પાડવાના છે, એવી ચર્ચા રાજ્કીય સ્તરે જોરદાર થઈ રહી છે. બંને કોંગ્રેસના લગભગ 15 ધારાસભ્યો શિંદેગ્રુપમાં જોડાઈ જાય એવું કહેવાય છે.

Join Our WhatsApp Community

વિધાન પરિષદની ચૂંટણી(Legislative Council Elections) બાદ શિવસેનાના ધારાસભ્યોએ અચાનક બળવો પોકારતા મુખ્યમંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરેની ખુરશી હલાવી દીધી હતી. શિવસેનાના બે તૃતીયાંશથી વધુ ધારાસભ્યોના બળવાને કારણે રાજ્યમાં મહા વિકાસ અઘાડી સરકાર(Maha Vikas Aghadi Govt) લઘુમતીમાં આવી જતાં ઉદ્ધવ ઠાકરેને મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું(Resignation) આપવાની ફરજ પડી હતી. થોડા દિવસો બાદ શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે ભાજપના(BJP) સમર્થનથી મુખ્યમંત્રી બન્યા. પરંતુ રાજ્યમાં સત્તા સ્થાપ્યા બાદ પણ એકનાથ શિંદે શાંત રહેવાને બદલે હવે કોંગ્રેસ પર પણ 'સર્જિકલ સ્ટ્રાઈક'(Surgical strike) કરવાની તૈયારી હોવાનું કહેવાય છે.

બળવાને કારણે શિવસેનામાં ફફડાટ જોવા મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસના 15થી 20 ધારાસભ્યો પણ બળવાની તૈયારી કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે. એકનાથ શિંદે આ ધારાસભ્યોને આકર્ષવાના જોરદાર પ્રયાસો કરી રહ્યા છે અને ટૂંક સમયમાં આ ધારાસભ્યો રાજકીય ભૂકંપ સર્જે તેવી શક્યતા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે રાજ્યમાં કોંગ્રેસના 15 થી 20 ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમાં દક્ષિણ મહારાષ્ટ્રના એક ધારાસભ્યનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો : ગુજરાતના દાહોદ પાસે થયો ભીષણ રેલ અકસ્માત- અનેક ટ્રેનોને થઈ અસર- જાણો પૂરી વિગત અહીં

વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપ પાસે પાંચમા ઉમેદવાર પાસે જરૂરી મતો ન હોવા છતાં પક્ષના ઉમેદવારે જીત મેળવીને મહાવિકાસ આઘાડીમાં હલચલ મચાવી દીધી હતી. આ સમયે શિવસેના અને કોંગ્રેસના કેટલાક મત વિભાજીત થયા હતા. પરંતુ આ ચૂંટણી બાદ એકનાથ શિંદેના બળવાને કારણે કોંગ્રેસમાં ભાગલા પડવાની વાત કંઈક અંશે બાજુ પર પડી ગઈ હતી. પરંતુ હવે રાજ્યમાં સત્તાપલટો થયા બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના નારાજ ધારાસભ્યો એકસાથે બળવો કરવાના મૂડમાં છે. ભાજપ સતત દાવો કરી રહ્યું છે રાષ્ટ્રવાદી કોંગ્રેસના નારાજ ધારાસભ્યોનું તેમને સમર્થન છે અને બહુ જલદી તેઓ અમારી સાથે જોડાઈ જશે. જોકે રાષ્ટ્રવાદી કોંગ્રેસના વરિષ્ઠ નાગરિકોએ આ દાવાને સતત ફગાવતા રહ્યા છે.
 

Maharashtra: મહારાષ્ટ્રના વાતાવરણમાં મોટો ફેરફાર: આજે દિવસભર કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.
Baramati ZP Election 2026: સુનેત્રા પવારે જાળવી અજિત દાદાની પરંપરા: બારામતી જિલ્લા પરિષદની ચૂંટણી માટે વહેલી સવારે કર્યું મતદાન.
Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Exit mobile version