Site icon News Continuous Bureau | Mumbai

શું મહારાષ્ટ્ર સરકારમાં હજી મોટા ફેરફાર આવવાના છે-હવે ચર્ચા છે કે રાષ્ટ્રવાદી અને કોંગ્રેસના 15 ઘારાસભ્યો શિંદેસેના ભણી

News Continuous Bureau | Mumbai

શિવસેના(Shivsena) પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સામે બળવો કરીને શિવસેનાના ધારાસભ્યોને(Shivsena MLA) તોડી ભાજપની(BJP) સહાયથી મુખ્યમંત્રી(CM) બની ગયેલા એકનાથ શિંદે(Eknath Shinde) હવે કોંગ્રેસ(Congress) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં(NCP) ભંગાણ પાડવાના છે, એવી ચર્ચા રાજ્કીય સ્તરે જોરદાર થઈ રહી છે. બંને કોંગ્રેસના લગભગ 15 ધારાસભ્યો શિંદેગ્રુપમાં જોડાઈ જાય એવું કહેવાય છે.

Join Our WhatsApp Channel

વિધાન પરિષદની ચૂંટણી(Legislative Council Elections) બાદ શિવસેનાના ધારાસભ્યોએ અચાનક બળવો પોકારતા મુખ્યમંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરેની ખુરશી હલાવી દીધી હતી. શિવસેનાના બે તૃતીયાંશથી વધુ ધારાસભ્યોના બળવાને કારણે રાજ્યમાં મહા વિકાસ અઘાડી સરકાર(Maha Vikas Aghadi Govt) લઘુમતીમાં આવી જતાં ઉદ્ધવ ઠાકરેને મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું(Resignation) આપવાની ફરજ પડી હતી. થોડા દિવસો બાદ શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે ભાજપના(BJP) સમર્થનથી મુખ્યમંત્રી બન્યા. પરંતુ રાજ્યમાં સત્તા સ્થાપ્યા બાદ પણ એકનાથ શિંદે શાંત રહેવાને બદલે હવે કોંગ્રેસ પર પણ 'સર્જિકલ સ્ટ્રાઈક'(Surgical strike) કરવાની તૈયારી હોવાનું કહેવાય છે.

બળવાને કારણે શિવસેનામાં ફફડાટ જોવા મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસના 15થી 20 ધારાસભ્યો પણ બળવાની તૈયારી કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે. એકનાથ શિંદે આ ધારાસભ્યોને આકર્ષવાના જોરદાર પ્રયાસો કરી રહ્યા છે અને ટૂંક સમયમાં આ ધારાસભ્યો રાજકીય ભૂકંપ સર્જે તેવી શક્યતા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે રાજ્યમાં કોંગ્રેસના 15 થી 20 ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમાં દક્ષિણ મહારાષ્ટ્રના એક ધારાસભ્યનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો : ગુજરાતના દાહોદ પાસે થયો ભીષણ રેલ અકસ્માત- અનેક ટ્રેનોને થઈ અસર- જાણો પૂરી વિગત અહીં

વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપ પાસે પાંચમા ઉમેદવાર પાસે જરૂરી મતો ન હોવા છતાં પક્ષના ઉમેદવારે જીત મેળવીને મહાવિકાસ આઘાડીમાં હલચલ મચાવી દીધી હતી. આ સમયે શિવસેના અને કોંગ્રેસના કેટલાક મત વિભાજીત થયા હતા. પરંતુ આ ચૂંટણી બાદ એકનાથ શિંદેના બળવાને કારણે કોંગ્રેસમાં ભાગલા પડવાની વાત કંઈક અંશે બાજુ પર પડી ગઈ હતી. પરંતુ હવે રાજ્યમાં સત્તાપલટો થયા બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના નારાજ ધારાસભ્યો એકસાથે બળવો કરવાના મૂડમાં છે. ભાજપ સતત દાવો કરી રહ્યું છે રાષ્ટ્રવાદી કોંગ્રેસના નારાજ ધારાસભ્યોનું તેમને સમર્થન છે અને બહુ જલદી તેઓ અમારી સાથે જોડાઈ જશે. જોકે રાષ્ટ્રવાદી કોંગ્રેસના વરિષ્ઠ નાગરિકોએ આ દાવાને સતત ફગાવતા રહ્યા છે.
 

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version