ઉદ્ધવ ઠાકરેને વધુ એક ફટકો- વિધાન પરિષદ માટે શિંદે સરકારે રાજ્યપાલને મોકલી 12 ઘારાસભ્યોની યાદી-જાણો વિગત

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

છેલ્લા કેટલાક દિવસોથી અસ્થિર બનેલા મહારાષ્ટ્રના રાજકારણે(Maharashtra politics) ગુરુવારે અલગ વળાંક લીધો હતો. એકનાથ શિંદેએ(Eknath Shinde) મુખ્યમંત્રી પદ(CM Post) સંભાળ્યા બાદ મેટ્રો કાર શેડ(Metro car shed) અંગે ઠાકરે સરકારનો(Thackeray government) નિર્ણય બદલી નાખવામાં આવ્યો  છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એકનાથ શિંદેએ હવે 12 ધારાસભ્યોની(MLA) નિમણૂક માટે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને(Governor Bhagat Singh Koshyari) નવી યાદી મોકલવાના છે. તેથી એવું કહેવામાં આવી રહ્યું છે કે ઠાકરે સરકાર માટે આ એક મોટો ઝટકો છે.

વિધાન પરિષદના(Legislative Council) રાજ્યપાલ દ્વારા નિયુક્ત સભ્યો માટે મહાવિકાસ અઘાડી(Mahavikas Aghadi) દ્વારા શિવસેના(Shiv Sena), કોંગ્રેસ(Congress) અને એનસીપીના(NCP) 12 ઉમેદવારોની યાદી(candidates List) આપવામાં આવી હતી. પરંતુ રાજ્યપાલે યાદી સામે વાંધો ઉઠાવતા કોઈ નિર્ણય લીધો ન હતો. એવી અફવા છે કે શિંદે સરકારે આ યાદીને બદલે નવી યાદી મોકલવાનો નિર્ણય કર્યો છે. તેથી, એવી અફવાઓ છે કે રાજ્ય સરકાર હવે ઠાકરેને વધુ એક ધક્કો આપવાની તૈયારી કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  ઉદ્ધવ ઠાકરેના સાળા શ્રીધર પાટણકરને મોટી રાહત- EDના વિરોધ છતાં વિશેષ અદાલતે આ કેસની સીબીઆઈ તપાસને બંધ કરવાની મંજૂરી આપી-જાણો વિગતે 

અગાઉની ઠાકરે સરકારે મેટ્રો કાર શેડને આરે કોલોનીને(Aarey Colony) બદલે કાંજુરમાર્ગ(Kanjurmarg) માં શિફ્ટ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ શિંદે સરકાર(Shinde Sarkar) સત્તામાં આવતાની સાથે જ ઠાકરે સરકારના તે નિર્ણય બદલી નાખ્યો અને મેટ્રો કાર શેડ હવે આરે જ બનશે એવું દેવેન્દ્ર ફડણવીસે(Devendra Fadnavis) કહ્યું છે. શુક્રવારે ઉદ્ધવ ઠાકરેએ તેમની ટીકા પણ કરી છે
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More