News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharshtra)ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) પોતાનું રાજીનામું આપ્યું તે પહેલા ફેસબુક પર મહારાષ્ટ્રની જનતા સાથે સંવાદ સાધ્યો હતો આ સમયે તેમણે ફેસબુક(Facebook) ઉપર પોતાના કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે એકનાથ શિંદે (Eknath Shinde) જ્યારે મુંબઈ(Mumbai)માં આવે ત્યારે તેનો વિરોધ કરવા માટે એકેય શિવ સૈનિક(Shivsainik) રસ્તા પર ન ઉતરે. ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદે પર હુમલો ન થાય તે માટે કેન્દ્ર સરકારે મોટા પગલાં લીધા છે. આ ઉપરાંત રાજ્યપાલે પણ મહારાષ્ટ્રના પોલીસ વિભાગને પત્ર લખીને સુરક્ષા પૂરી પાડવા માટેની તાકીદ કરી દીધી છે.
આ સમાચાર પણ વાંચો : મેં સમંદર હું લૌટ કર ફીર આઊંગા- પોતાના રાજીનામા સમયે દેવેન્દ્ર ફડણવીસ નો ડાયલોગ આજે ફરી વાયરલ થયો- જુઓ વિડિયો
આવા સમયે જો શિવસૈનિકો રસ્તા પર ઉતરે તો એકનાથ શિંદે ના સમર્થકો અને પોલીસ ભેગા મળીને શિવસૈનિકો ની ધોલાઈ કરી નાખે તેવી શક્યતા છે. આ શક્યતાને જોતા ઉદ્ધવ ઠાકરેએ શિવ સૈનિકો ને અપીલ કરી છે કે તેઓ રસ્તા પર ન ઉતરે.