News Continuous Bureau | Mumbai
એકનાથ શિંદેના(Eknath Shinde) બંડ બાદ રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે, આ દરમિયાન એક બાદ એક મોટા નેતા કોરોનાની(Corona) ઝપેટમાં આવી રહ્યા છે
મહારાષ્ટ્રના રાજ્યપાલ(Maharashtra Governor), મુખ્યમંત્રી(CM) બાદ હવે નાયબ મુખ્યમંત્રી(Deputy CM) અજિત પવાર(Ajit Pawar) પણ કોરોનાથી સંક્રમિત થયા છે.
આ અંગે તેમણે જાણકારી આપતા કહ્યું મેં ગઈકાલે કોરોના ટેસ્ટ(Corona test) કરાવ્યો હતો જે આજે પોઝિટિવ(Positive) આવ્યો છે.
હાલ મારી તબિયત સારી છે અને હું ડૉક્ટરની સલાહ લઈ રહ્યો છું.
મારા સંપર્કમાં આવનાર કોઈપણ વ્યક્તિએ સાવચેત રહે અને લક્ષણો દેખાય તો તરત જ કોરોના ટેસ્ટ કરાવી લે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી પર લગાવ્યો આ આરોપ- ઇડી પર ઉઠાવ્યા સવાલ
