Site icon News Continuous Bureau | Mumbai

શોકિંગ!! મહારાષ્ટ્રના વિર્દભમાં છેલ્લા 90 દિવસમાં આટલા ખેડૂતોએ કરી આત્મહત્યા..  જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

દિલ્હીની સરહદ પર લગભગ એક વર્ષ સુધી અંડિગો જમાવીને ખેડૂતોએ પોતાની માંગણી સાથે કેન્દ્ર સરકારને ઝુકાવ્યા હતા. તો બીજી તરફ મહારાષ્ટ્રમાં હજી પણ ખેડૂતોની આત્મહત્યા નો સિલસિલો ચાલુ  જ છે. પશ્ચિમ વિદર્ભમાં ખેડૂતોની આત્મહત્યા નો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. અમરાવતીના ડિવિઝનલ ડેપ્યુટી કમિશનરે સરકારને ચોંકાવનારો રિપોર્ટ આપ્યો છે, જેમાં આ વર્ષે 31 માર્ચ સુધી એટલે કે માત્ર 90 દિવસમાં 279 ખેડૂતોના મોત થયા છે. તેમાં પણ અમરાવતી જિલ્લામાં સૌથી વધુ 80 ખેડૂતોએ આત્મહત્યા કરી છે.

Join Our WhatsApp Channel

ગયા વર્ષે 1,173 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. આ વર્ષે જાન્યુઆરીમાં 88, ફેબ્રુઆરીમાં 109 અને માર્ચમાં 82 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. સરકાર ખેડૂતોની આત્મહત્યા ની સંભાવના ધરાવતા જિલ્લાઓ માટે કેટલીક યોજનાઓ પણ લાવી છે. 2001થી અત્યાર સુધીમાં રાજ્યમાં 17 હજાર 938 ખેડૂતોએ આત્મહત્યા કરી છે

આ સમાચાર પણ વાંચો : હારાષ્ટ્રમાં ફરી માસ્ક ફરજિયાત? ટાસ્ક ફોર્સે કોરોનાની ચોથી લહેરને લઈને આપી આ ચેતવણી. જાણો વિગતે.

પશ્ચિમ વિદર્ભમાં 2001થી ખેડૂતોની આત્મહત્યા ની જાણ મહેસૂલ વિભાગને કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 17 હજાર 938 ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યા છે. તેમાંથી માત્ર 8 હજાર 166 કેસમાં જ સરકારી સહાય આપવામાં આવી છે. 9,535 કેસમાંથી અડધાથી વધુ સરકારી સહાય માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. 237 કેસ તપાસ માટે પડતર છે.

પશ્ચિમ વિદર્ભમાં આ વર્ષે માર્ચના અંત સુધીમાં 279 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. 60 કેસમાં સરકારી સહાય આપવામાં આવી છે. 55 કેસ અયોગ્ય છે, જ્યારે 164 કેસ તપાસ માટે પડતર છે. અમરાવતીમાં  80, અકોલામાં  29, યવતમાલ માં  69, બુલઢાણામાં  61 અને વાશિમમાં  40 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી.

 

Tamil Nadu political shift DMK leader joins TVK તમિલનાડુમાં રાજકીય સમીકરણો બદલાયા, ડીએમકે છોડીને TVKમાં જોડાશે આ દિગ્ગજ નેતા..
Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ૨૧ જિલ્લાઓમાં હવામાન વિભાગનું એલર્ટ..
High Court Queries FDA Procedure “આ યોગ્ય નથી…”, બોમ્બે હાઈકોર્ટે અન્ન અને ઔષધ વહીવટ (FDA) ની કાર્યવાહી પદ્ધતિ પર ઉઠાવ્યા ગંભીર સવાલો
Shivsena Symbol Hearing Supreme Court ધનુષબાણ કોનું? શિવસેના પક્ષ અને ચિહ્ન વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી.
Exit mobile version