Site icon

ઘાસચારા કૌભાંડમાં લાલુ યાદવને વધુ એક રાહત, પાંચમા કેસમાં પણ મળી ગયા જામીન

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

ઘાસચારા કૌભાંડમાં(ghaschara fraud) આરજેડી(RJD) સુપ્રીમો લાલુ યાદવને(Lalu prasad yadav) વધુ એક રાહત મળી ગઈ છે. 

ઘાસચારા કૌભાંડ સાથે જોડાયેલા ડોરાન્ડા ટ્રેઝરી કેસમાં(Doranda Treasury case) RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને જામીન મળી ગયા છે. 

ઘાસચારા કૌભાંડ સાથે સંબંધિત આ પાંચમો કેસ છે, જેમાં તેમને ઝારખંડ હાઈકોર્ટે(Jharkhand highcourt) જામીન આપ્યા છે. 

જોકે સીબીઆઈએ(CBI) જામીન આપવાનો સખત વિરોધ કર્યો હતો.

આરજેડી ચીફના(RJD chief) વકીલે કહ્યું કે તેમને આ આધાર પર જામીન આપવામાં આવ્યા છે કે તેમણે અડધી સજા ભોગવી છે અને તેમની તબિયત ખરાબ છે. તેઓ ટૂંક સમયમાં મુક્ત થશે. 

લાલુ યાદવે 1 લાખ રૂપિયાના બોન્ડ અને દંડ તરીકે 10 લાખ રૂપિયા ભરવા પડશે.

ઉલ્લેખનીય છે કે આરજેડી ચીફ ચારા કૌભાંડ સાથે સંબંધિત ચાર કેસમાં દોષિત ઠર્યા છે અને તેમને જામીન પણ મળી ચૂક્યા છે.

આ સમાચાર પણ વાંચો :  વિકાસના નામે ષડયંત્ર. આ રાજ્યમાં 300 વર્ષ જૂના મંદિર પર ફરી વળ્યું બુલડોઝર, કોગ્રેસ સરકાર પર ભડક્યું ભાજપ 

AhmedabadStation: આરપીએફ અમદાવાદની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી મહિલા મુસાફરની જાન બચી અને એક શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો
Pod Taxi Mumbai: વાંદ્રે-કુર્લા પોડ ટેક્સી દેશના એકમાત્ર મોડેલ પ્રોજેક્ટ તરીકે અમલ કરવા શિંદેના નિર્દેશો
Maharashtra Monsoon: મહારાષ્ટ્રમાંથી આ તારીખ પહેલા વિદાય નહીં લે ચોમાસું, ફરી વરસશે મેઘરાજા, એલર્ટ જાહેર.
Women Empowerment Gujarat: આત્મનિર્ભર સ્ત્રીનું જીવંત દ્રષ્ટાંત એટલે શિક્ષણ, મહેનત અને સંકલ્પબળથી સફળ બનેલી ‘સુવાસિની સ્વસહાય જૂથ’ની મહિલાઓ
Exit mobile version