News Continuous Bureau | Mumbai
જહાંગીરપુરીમાં(jahangirpuri) દિલ્હી(Delhi) નગર નિગમના ગેરકાયદે બાંધકામ(Illegal Construction) વિશે સુપ્રીમ કોર્ટમાં(Supreme court) સુનાવણી થઈ હતી.
સુનાવણી(Hearing) દરમિયાન જહાંગીરપુરીની કાર્યવાહી પર સ્ટે યથાવત્ રાખવામાં આવ્યો છે.
સાથે જ કોર્ટે તમામ પક્ષોને નોટિસ(Notice) ફટકારી છે અને સરકારને સોગંદનામુ(Affidavit) રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
હવે આ મુદ્દે કોર્ટ 2 સપ્તાહ પછી ફરી સુનાવણી કરશે.
એટલે કે આગામી સુનાવણી સુધી જહાંગીરપુરીમાં દબાણ હટાવવાની કામગીરી પર રોક લગાવાયો છે
ઉલ્લેખનીય છે કે દિલ્હીના જહાંગીરપુરીમાં હિંસા બાદ ગેરકાયદે બાંધકામ પર MCDએ બુધવારે બુલડોઝર(Bulldozer) ચલાવડાવી કડક કાર્યવાહી કરી હતી.
આ સમાચાર પણ વાંચો : દિલ્હીમાં સરેઆમ આ ભાજપ નેતાની ગોળી મારીને હત્યા, બદમાશોએ 6 ગોળીઓ ચલાવી, પ્રોપર્ટી વિવાદની આશંકા
