પ્રથમ ગ્રાસે મક્ષિકા! વૈષ્ણોદેવીમાં નાસભાગ બાદ હવે આ રાજ્યમાં ભૂસ્ખલન, 2 ના મોત, 15-20 લોકો દટાયા હોવાની આશંકા

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,1 જાન્યુઆરી 2022

શનિવાર.

હરિયાણાના ભિવાની જિલ્લા ખાતે નવા વર્ષના પહેલા જ દિવસે એક ભારે મોટી કુદરતી હોનારત સર્જાઈ છે. 

પહાડમાં તિરાડ પડવાના કારણે તે સરકવા લાગ્યો હતો અને આશરે 8થી 10 વાહનો  સાથે આશરે 15થી 20 લોકો પહાડ નીચે દટાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

પહાડ નીચે દટાયેલા 3 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા જેમાંથી 2 લોકો ના મૃત્યુ થયા છે. 

 દુર્ઘટના અંગે જાણ થયા બાદ પ્રશાસને રાહત કાર્ય શરૂ કરાવી દીધું હતું. ઉપરાંત તે સ્થળે મીડિયાકર્મીઓ અને સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. 

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More