Site icon

ઘરવાપસી : આદિત્યમાંથી ઈબ્રાહિમને હવે ફરી આદિત્ય બન્યો આ યુવક, વૈદિક વિધિથી હિંદુ ધર્મ સ્વીકાર્યો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 15 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર.

ઉત્તર પ્રદેશના આદિત્ય મિશ્રાએ ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. ૧૯ વર્ષની આ નાની ઉંમરે તેણે ઘણું બધું જાેયું છે. તેની શરૂઆત ૨૦૦૦માં થઈ હતી. આદિત્ય મિશ્રાની માતાનું નામ અલકા ચતુર્વેદી છે. વર્ષ ૨૦૦૦માં અલકા ચતુર્વેદીના લગ્ન કાનપુરના રહેવાસી વિનોદ મિશ્રા સાથે થયા હતા. વિનોદ અને અલ્કાને બે બાળકો હતા. ૨૦૦૧માં દીકરીનો જન્મ થયો હતો અને ૨૦૦૩માં છોકરાનો જન્મ થયો હતો. તેનું નામ આદિત્ય હતું. ૨૦૧૨માં વિનોદ મિશ્રા અને અલ્કાના છૂટાછેડા થઈ ગયા. તે સમયે આદિત્ય ૯ વર્ષનો હતો. તેની બહેન ૧૧ વર્ષની હતી. છૂટાછેડા પછી, બંને બાળકો તેમની માતા અલકા ચતુર્વેદી સાથે રહેવા ગયા. આદિત્ય મિશ્રા દ્વારા આપવામાં આવેલી એફિડેવિટ મુજબ, તેની માતા અલકા ચતુર્વેદીએ વર્ષ ૨૦૧૪માં ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો અને લખનૌના લિયાકત ખાન સાથે લગ્ન કર્યા. આ એફિડેવિટ અનુસાર, આ જ લિયાકત ખાનને વર્ષ ૨૦૧૫માં આદિત્ય મિશ્રાનું આધાર કાર્ડ બનાવ્યું હતું. જેમાં તેનું નામ ઈબ્રાહિમ દર્શાવવામાં આવ્યું હતું અને પિતાના નામની જગ્યાએ તેણે પોતાનું નામ એટલે કે લિયાકત ખાન નોંધ્યું હતું. તે સમયે  આદિત્ય મિશ્રા લગભગ ૧૫ વર્ષનો હતો. હાલમાં આ નામ તેના આધારે નોંધાયેલ છે. આર્ય સમાજ સિવિલ લાઇન્સ નરહી દ્વારા વૈદિક વિધિઓ સાથે ઇબ્રાહિમને આદિત્ય મિશ્રા સુધીનો સફર ખેડ્યો છે. આર્ય સમાજના સિવિલ લાઈન્સ મંત્રી અજય શ્રીવાસ્તવે કહ્યું કે અમુક સંજાેગોને કારણે આદિત્યને ઈબ્રાહિમ સુધી સફર કરવી પડી. હવે ઈબ્રાહિમની ઘર વાપસી છે. તેમણે જણાવ્યું કે આર્ય સમાજની માતૃ સંસ્થા પ્રતિનિધિ સભા ઉત્તર પ્રદેશના નરહી સ્થિત પ્રાંગણમાં રવિવારે વૈદિક રીત રિવાજ સાથે ઘર વાપસી પૂરી કરવામાં આવી હતી. આ દરમિયાન આર્ય પ્રતિનિધિ સભા ઉત્તર પ્રદેશના વડા દેવેન્દ્ર પાલ વર્મા, વિમલ આર્ય બ્રહ્મા બન્યા. આ પ્રસંગે બાળ વૃધ્ધા નારી કલ્યાણ સમિતિના અધ્યક્ષ જયા શ્રીવાસ્તવ સહિત મોટી સંખ્યામાં આર્ય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.ઉત્તર પ્રદેશ શિયા વક્ફ બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ વસીમ રિઝવી અને મલયાલી ફિલ્મ નિર્દેશક અલી અકબરે  ઈસ્લામ  છોડી દીધો છે. હવે લખનૌના આ ૧૯ વર્ષીય યુવકે આર્ય સમાજની દેખરેખ હેઠળ વૈદિક રિવાજાેથી હિંદુ ધર્મ સ્વીકાર્યો છે. તે હવે ઈબ્રાહિમમાંથી આદિત્ય મિશ્રા બની ગયો છે. આર્ય સમાજે તેને ઈબ્રાહિમની ઘર વાપસી ગણાવી છે. આર્ય સમાજની માતૃસંસ્થા આર્ય પ્રતિનિધિ સભા, ઉત્તર પ્રદેશ લખનૌના વડા દેવેન્દ્ર પાલ વર્માની દેખરેખ હેઠળ એક શુદ્ધિકરણ યજ્ઞ પણ યોજાયો હતો.

પંજાબ-ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વાગશે ચૂંટણીનું બ્યુગલ,ચૂંટણીપંચે તૈયારીઓ શરૂ કરી; આ મહિના સુધીમાં થઇ શકે છે જાહેરાત 

Devendra Fadnavis Conspiracy: મહારાષ્ટ્ર રાજકારણમાં મોટો ભૂકંપ! ફડણવીસ અને શિંદેને જેલમાં ધકેલવાનું હતું કાવતરું? પૂર્વ DGP સંજય પાંડે સામે કેસની ભલામણ
Atal Setu Coastal Road Connector: કામ પૂરું છતાં રાહ જોવી પડશે! અટલ સેતુ-કોસ્ટલ રોડ જોડાણ તૈયાર, પણ આ એક વિઘ્ને નવી મુંબઈ એરપોર્ટ જવાની ગણતરી બગાડી
Maharashtra Weather Update: મહારાષ્ટ્રમાં હાડ થીજવતી ઠંડી! ઉત્તરના પવનોએ મુંબઈ સહિત રાજ્યને ઠુંઠવી દીધું, જાણો આગામી 48 કલાકમાં ક્યાં પડશે વધુ ઠંડી
Raj Thackeray on Ladki Bahin Yojana: ‘1500 રૂપિયા તો 15 દિવસમાં પૂરા થઈ જાય છે’, રાજ ઠાકરેએ મોંઘવારી મુદ્દે સરકારને ઘેરી
Exit mobile version