ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 14 ડિસેમ્બર 2021
મંગળવાર
વાયનાડનાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સંસદમાં પીએમ મોદીની ગેરહાજરીને લઈને સવાલ ઉઠાવ્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદી સંસદમાં તો આવતા જ નથી, આ લોકતંત્ર ચલાવવાની રીત નથી.
સાથે તેમણે એમ પણ કહ્યું કે જે મુદ્દાઓ પર વિપક્ષને ચર્ચા કરવી છે તેના પર સરકાર ભાગી જાય છે અને લોકોની અવાજ દબાવવા માટે તેમને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે. આ લોકતંત્રની હત્યા છે.
આ પહેલા રાહુલ ગાંધી ટ્વિટ કરીને આજે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારે લોકતંત્રમાં ચર્ચા અને અસહમતીને લઈને ટ્યુશન લેવાની જરૂર છે.
અકોલામાં ભાજપે ચમત્કાર કર્યો! રાષ્ટ્રવાદી, શિવસેના અને કોંગ્રેસના 80 મત ફૂટ્યા, જાણો વિગત
