Site icon News Continuous Bureau | Mumbai

 આ દિગ્ગજ નેતાની ધમકીથી ભાજપ ચિંતામાં, કહ્યું-એક હજાર કરોડ આપો નહીંતર ગઠબંધન છોડી દઇશ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 9 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર.

જીતનરામ માંઝીને નીતિશકુમારે જ મુખ્યમંત્રી બનાવ્યા હતાં. ૨૦૧૪માં મોદી લહેરમાં પાર્ટીની હાર બાદ નીતિશ કુમારે સીએમ પદથી રાજીનામું આપીને જીતમ રામ માંઝીને બિહારના મુખ્યમંત્રી બનાવ્યા હતાં. જાે કે, થોડા મહિનાઓ પછી, જ્યારે નીતિશ ફરીથી સીએમ બનવા માંગતા હતા, ત્યારે જીતન રામ માંઝીએ પદ છોડવાની ના પાડી દીધી હતી. બાદમાં તેમને રાજીનામું આપવાની ફરજ પડી હતી. ત્યારબાદ નીતિશે સીએમ પદ સંભાળ્યું. જાે કે આ પછી જીતનરામ માંઝીએ નીતિશ કુમારનો સાથ છોડી દીધો હતો. બાદમાં મહાગઠબંધનમાં પણ જાેડાયા પરંતુ અંતે ફરી એનડીએનો ભાગ બન્યા.બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીએ મુખ્યમંત્રી નીતિશ કુમાર પાસે એક હજાર કરોડ રૂપિયાની માંગણી કરી છે. અને કહ્યું છે કે, જાે તેમને  આ પૈસા નહીં મળે તો તેઓ ગઠબંધન છોડી દેશે. માંઝીએ પોતાના વિસ્તારના વિકાસ માટે પૈસાની માંગણી કરી છે.માંઝીએ પોતાના વિસ્તારના વિકાસ માટે પૈસાની માંગણી કરી છે. જીતન રામ માંઝીનો હિન્દુસ્તાની અવમ મોરચાએ બિહારમાં સત્તારૂઢ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનનો સહયોગી છે. અને સરકારમાં સામેલ છે. જીતન રામ માંઝીએ મંગળવારે ગયા જિલ્લાના ઈમામગંજ બ્લોકમાં એક સભાને સંબોધિત કરતા આ વાત કહી. માંઝી આ વિસ્તારના ધારાસભ્ય પણ છે. તેમણે કહ્યું કે, આ તેમની રાજનીતિની છેલ્લી ઈનિંગ છે. રાજનીતિ છોડતા પહેલા અમે અમારા વિસ્તારના વિકાસ માટે કરવા માંગીએ છીએ અને ઘણા વિકાસના કામો પણ કર્યા છે.અમે વધુ સંતુષ્ટ અને ખુશ રહીશું. માંઝીએ કહ્યું – અમે અમારા પુત્ર અનુસૂચિત જાતિ અને જનજાતિ કલ્યાણ મંત્રી સંતોષ કુમાર સુમનને રૂ.૧૦૦૦ કરોડનું સ્ટીમિટ બનાવવા કહ્યું છે, જેમાં વિસ્તારના વિકાસ માટે સેંકડો યોજનાઓનો સમાવેશ થાય છે. જાે એક હજાર કરોડ મળ્યા તો આ નાણાકીય વર્ષથી આ વિસ્તારમાં ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવશે. માંઝીએ કહ્યું કે, સીએમ નીતિશ કુમારને આ કામ માટે એક હજાર કરોડ રૂપિયા આપવાનું કહેશે. માંઝીએ કહ્યું કે જાે અમે નહીં આપીએ તો અમે તમારી પાર્ટીમાં નથી પરંતુ ગઠબંધનમાં છીએ, અમે ક્યાંક ચમકીશું તો તમે સમજી શકશો. જાેકે, જીતનરામ માંઝીએ એમ પણ કહ્યું હતું કે મુખ્યમંત્રી તેમની વાત માને છે, તેથી અપેક્ષા છે કે તેઓ તેમની માગણી સ્વીકારશે. તમને જણાવી દઈએ કે જેડીયુ, ભાજપ, હમ અને વિકાસશીલ ઇન્સાન પાર્ટી બિહાર એનડીએમાં સામેલ છે. માંઝી નીતીશ કુમાર સામે પોતાનું બળવાખોર વલણ બતાવી ચૂક્યા છે.

ચીનમાં ત્રીજું બાળક કરવાથી મળશે સરકાર તરફથી આ રાહત; જાણો વિગતે

Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Exit mobile version