Site icon

ગુજરાતમાં હવે એર એમ્બ્યુલન્સ સર્વિસ શરૂ કરવામાં આવશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 25 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

 સાબરમતી હેલિપેડથી હેલિકોપ્ટરની જાેય રાઇડ શરૂ કરવા માટે પણ કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલાઈ છે. અમદાવાદ રન-વેના મરામતની કામગીરી ૩ ડિસેમ્બરથી શરૂ થવાની હતી, પરંતુ વાઇબ્રન્ટ સમિટને ધ્યાને લઈ આ કામગીરી ૨૦ જાન્યુઆરી બાદ શરૂ કરવા રજૂઆત પણ કરાઈ છે. સુરત એરપોર્ટ પર વહેલી સવારે ગાઢ ધુમ્મસને પગલે રનવે પર વિઝિબિલિટી ઘટતાં સુરત જતી ત્રણ ફ્લાઇટ અન્ય એરપોર્ટ પર ડાઇવર્ટ કરાઈ હતી, જેમાં દિલ્હીથી આવતી એર ઇન્ડિયાની અને ઇન્ડિગોની ફ્લાઇટ્‌સ અમદાવાદ એરપોર્ટ પર જ્યારે કોલકાતાથી આવેલી ફ્લાઈટ મુંબઈ એરપોર્ટ પર ડાઇવર્ટ કરાઈ હતી. જાેકે થોડા સમય બાદ વિઝિબિલિટી સુધરતાં ડાઇવર્ટ કરાયેલી ફ્લાઇટ તબક્કાવાર અમદાવાદથી સુરત પરત મોકલવામાં આવી હતી. આ સમય દરમિયાન બંને ફ્લાઇટના પેસેન્જરોને એરક્રાફ્ટમાં જ બેસાડી રાખવામાં આવ્યા હતા.દેશમાં સૌપ્રથમ વાર ગુજરાતમાં એર એમ્બ્યુલન્સ સર્વિસ શરૂ કરાશે. આ માટે રાજ્ય સરકારે કેન્દ્રને દરખાસ્ત કરી છે. નાગરિક ઉડ્ડયનમંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે મુખ્યમંત્રીના જૂના પ્લેનને એર એમ્બ્યુલન્સમાં ફેરવાશે. ૧૦૮  દ્વારા મળતા કોલમાં કલાકનું ભાડું ૫૦ હજાર, હોસ્પિટલો માટે ૫૫ હજાર અને ખાનગી વ્યક્તિના કોલમાં એર એમ્બ્યુલન્સનું કલાકનું ભાડું ૬૦ હજાર લેવાશે. પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે કેન્દ્રીય ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ગુજરાતમાં હવાઈ સુવિધાનો વ્યાપ વધે એ માટે ગુજરાતે વિવિધ માગણી કરી છે. સાબરમતીથી કેવડિયા સુધીની સી-પ્લેન સર્વિસ શરૂ થઈ હતી, જેનો કોન્ટ્રેક્ટ પૂરો થતાં હવે નવેસરથી ટેન્ડર શરૂ કરાશે. આ સિવાય છ સ્થળે સી-પ્લેન સર્વિસ માટે સરવે કામગીરી શરૂ કરાઈ છે. ગુજરાતને બે સી-પ્લેન માટે આર્થિક સહાય મળે એ માટે રજૂઆત કરાઈ છે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે સાબરમતીથી સ્ટેચ્યૂ સુધી સવાર-સાંજ બે ફ્લાઇટ શરૂ કરાશે. ડીસા એર સ્ટ્રિપની જમીન સોંપણી માટે પણ દરખાસ્ત કરાઈ છે.

જામનગરના યુવકનું બ્રેનડેડ થતા તેના પરિવારે અંગદાન કર્યું

Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Exit mobile version