Site icon

અમે તો પરંપરા પ્રમાણે જ વિસર્જન કરીશું, કોલ્હાપુરમાં એક ઠેકાણે કોરોનાના બધા જ નિયમો નેવે મુકાયા અને ઉપરથી પોલીસ સાથે કર્યો વિવાદ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં ગણેશોત્સવમાં મૂર્તિની ઊંચાઈ સહિત કેટલાક નિયમો રાજ્ય સરકારે લાગુ કર્યા હતા. આ નિયમોનું પાલન કરાવવા માટે ઠેરઠેર પોલીસો પણ તહેનાત હતા. છતાં ઘણી જગ્યાએ સરકારી નિયમો ભંગ થયા હતા. કોલ્હાપુરના એક ગણેશ મંડળમાં વિસર્જન સમયે પરંપરા સામે કોરોના નિયમોના ઉલ્લંઘન બાબતે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે વિવાદ છેડાયો હતો.

શું આજે કંગના ની ધરપકડ થશે? પંગા‌ ક્વિન માટે મોટો દિવસ. જાણો વિગત

આ મંડળે દર વર્ષની પરંપરાને પકડી રાખતાં ગણેશચતુર્થીના દિવસે ૨૧ ફૂટ ઊંચી મૂર્તિ મંડપમાં લાવી હતી અને એટલું જ નહિ પારંપારિક વાદ્યો વગાડીને મૂર્તિની સ્થાપના કરી હતી, ત્યારે મંડળ વિરુદ્ધ પહેલાંથી જ ગુનો દાખલ થયો હતો. ગઈ કાલે વિસર્જનના દિવસે પણ નિયમોનું ઉલ્લંઘન કરીને આ મંડળના લોકોએ સવારથી મૂર્તિને મંડપ બહાર રાખી હતી અને વિસર્જનમાં આવનારા લોકોની ભીડ પણ જામી ગઈ. આ મામલે પોલીસ અને મંડળના કાર્યકર્તાઓ વચ્ચે શાબ્દિક જંગ થઈ હતી. ત્યાર બાદ ૨૧ ફૂટની મૂર્તિનું ઈરાની તળાવમાં વિસર્જન થયું.

Mumbai Relief: LPG સપ્લાય અપડેટ: ભારતનું ૪૪ હજાર ટન ગેસ ટેન્કર મુંબઈ ભણી, જાણો બાકીના ૧૭ ટેન્કરોની શું છે સ્થિતિ.
Maharashtra Politics: રાજકીય ભૂકંપના સંકેત! સુનેત્રા પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર વાતચીત, નવા ગઠબંધનની ચર્ચાઓ તેજ.
Maharashtra Rain Alert: મહારાષ્ટ્ર પર આકાશી આફત: આજે ૮ જિલ્લાઓમાં કરા સાથે તૂટી પડશે વરસાદ, ‘ઓરેન્જ એલર્ટ’ વચ્ચે ખેડૂતોના જીવ અધ્ધર!
Pakistani Products Scam:છત્રપતિ સંભાજીનગરમાં પાકિસ્તાની પ્રોડક્ટ્સ વેચવાનું કૌભાંડ ઝડપાયું: પ્રતિબંધિત ચીજવસ્તુઓના જથ્થા સાથે ૩ શખ્સોની ધરપકડ
Exit mobile version