ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021
સોમવાર
કેપ્ટન અમરિન્દર સિંહ બાદ હવે પંજાબને નવા મુખ્યમંત્રી મળી ગયા છે.
કોંગ્રેસ હાઇકમાન્ડે કેબિનેટ મંત્રી અને ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા રણજીત સિંહ ચન્નીને જવાબદારી આપવાનો નિર્ણય કર્યો છે.
આગામી વર્ષે ફેબ્રુઆરી-માર્ચની ચૂંટણી અગાઉ દલિત શીખ નેતાને કમાન સોંપીને કોંગ્રેસે દાવ ખેલ્યો છે.
કાંગ્રેસ નેતા ચરણજીત સિંહ ચન્ની સોમવારે સવારે 11 વાગ્યે પંજાબના 16મા મુખ્યમંત્રીના રૂપમાં શપથ લેશે, આ શપથ ગ્રહણ સમારોહ ચંડીગઢમાં યોજાશે.
ક્રિકેટપ્રેમીઓ માટે ખરાબ સમાચાર, વિરાટ કોહલી RCB ના કેપ્ટન પદેથી આપશે રાજીનામું; જુઓ ક્યારે
