Site icon

ભાજપના ગુજરાતી નેતા મેદાનમાં : હવે મહારાષ્ટ્રના પ્રધાનમંડળના વધુ ત્રણ નેતાનો ગોટાળો બહાર આવશે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

ભાજપના નેતા અને ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયા મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકારના પ્રધાનોના એક પછી એક કૌભાંડ બહાર પાડી રહ્યા છે. તેમણે રાજ્યના જુદા જુદા પ્રધાનો અને નેતાઓની એક યાદી તૈયાર કરી છે. એમાં હવે તેઓ રાજ્યના વધુ ત્રણ નેતાઓનાં કૌભાંડો બહાર પાડવાના છે. હજી સુધી આ નેતાઓનાં નામ બહાર પાડવામાં આવ્યાં નથી, પરંતુ અપ્રત્યક્ષ રીતે એ ત્રણ નેતાઓ સામે આંગળી ચીંધી દેવામાં આવી છે. હાલ સોમૈયા દિલ્હીમાં ઈડી અને સીબીઆઇ, ઇન્કમ ટૅક્સના અધિકારીઓની મુલાકાત માટે રવાના થયા હોવાનું કહેવાય છે.

મહાવિકાસ આઘાડી સરકારના ત્રણ પ્રધાનોનો ભ્રષ્ટાચાર બહાર કાઢવાની ચીમકી સોમૈયા આપી છે. બહુ જલદી તેમનાં નામ પણ તેઓ જાહેર કરવાના હોવાનું કહ્યું હતું. એમાં વિદર્ભના કૉન્ગ્રેસના પ્રધાન, રાષ્ટ્રવાદીના મોટા નેતા અને શિવસેનાના એક નેતાનો સમાવેશ થાય છે. આ નેતાઓની સાથે તેમના પરિવારજનો પણ કૌભાંડમાં જોડાયેલા હોવાનો સોમૈયાએ આરોપ કર્યો છે.

બિહારના આ ગામમાં એકેય મુસ્લિમ પરિવાર નથી, તેમ છતાં હિન્દુઓ મસ્જિદનું ધ્યાન રાખે છે; જાણો હિન્દુઓની સહિષ્ણુતા

રાજ્યના ગ્રામીણ વિકાસપ્રધાન હસન મુશ્રીફના વિરોધમાં 2,700 પાનાંના પુરાવાની ફાઈલ લઈને સોમૈયા હાલ દિલ્હી ગયા છે. ઈડીને આ ફાઈલ આપવાના છે.

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version