Site icon

મહારાષ્ટ્રમાં ૧૦ દિવસમાં સાત જિલ્લા કોરોના ની ચપેટમાં આવ્યા. જાણો ચોંકાવનારા આંકડા અને વિગત..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

27 ફેબ્રુઆરી 2021

મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્ત દર્દોઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન, રાજ્યના ઘણા નવા જિલ્લાઓમાં વાયરસ પગપસારો કરી રહ્યો છે. મહારાષ્ટ્રના 36 જિલ્લાઓમાંથી, છેલ્લાં બે સપ્તાહમાં 28 માં સક્રિય કેસ નોંધાયા છે. જોકે 10 દિવસ પહેલા જિલ્લાઓની સંખ્યા 21 હતી.

આરોગ્ય વિભાગના આંકડા દર્શાવે છે કે અમરાવતી, અકોલા, બુલઢાના, યવતમાલ અને નાગપુર વિદર્ભના નવા હોટસ્પોટ્સ તરીકે ઉભરી રહ્યા છે. તો બીજી તરફ મરાઠાવાડા લાતુર, હિંગોલી, પરભણી અને નાંદેડ જિલ્લામાં પણ હવે કોરોના ના કેસો મોટી સંખ્યામાં વધી રહ્યા છે..  

પુના 12,577 કેસ સાથે બીજા ક્રમે છે અને 9,141 કેસ સાથે નાગપુર ત્રીજા ક્રમે છે. મુંબઈમાં કોરોનાના 7,899 કેસ છે. થાણેમાં 7,276 અને અમરાવતીમાં 6,740 સક્રિય કેસ છે. રાજ્યના કુલ સક્રિય કેસોમાં આ પાંચ જિલ્લાઓમાં સક્રિય કેસ લગભગ 65 ટકા છે. નાગપુરની 50 લાખની વસ્તીના આધારે વધુ કેસ છે. બીજી તરફ, મુંબઈમાં એક કરોડ 30 લાખની વસ્તીના આધારે ઓછા કેસ છે. દરમિયાન મરાઠાવાડાની અંદર ઓરંગાબાદમાં સક્રિય કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. 1 ફેબ્રુઆરીએ કોરોનાના 347 કેસ હતા, જે શુક્રવારે વધીને 2,052 થઈ ગયા છે.

સરકાર દ્વારા જાહેર કરાયેલા ડેટા બતાવે છે કે 15 થી 21 ફેબ્રુઆરી દરમિયાન, અમરાવતીમાં સાપ્તાહિક પોઝિટિવ દર (19.4 ટકા) હતો. અકોલામાં પોઝિટિવ દર 10.5 ટકા અને બુલધનામાં 6.1 ટકા રહ્યો હતો. આ બધા જ જિલ્લાઓ વિदर्भમાં હતા. જોકે, અમરાવતીનો સાપ્તાહિક પોઝિટિવ દર સૌથી વધુ 41.5 ટકા રહ્યો છે, જ્યારે અકોલામાં 30.8 ટકા પોઝિટિવ દર રહ્યો છે.

Sharad Pawar: અંબાણી ના પીએમ નરેન્દ્ર મોદીને ‘અવતાર પુરુષ’ કહેવા પર શરદ પવારે કરી આવી વાત
Maharashtra rain damage: મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન, ૧૮ લાખ હેક્ટરથી વધુ પાકને ફટકો
Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Exit mobile version