Site icon

મહારાષ્ટ્રમાં ૧૦ દિવસમાં સાત જિલ્લા કોરોના ની ચપેટમાં આવ્યા. જાણો ચોંકાવનારા આંકડા અને વિગત..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

27 ફેબ્રુઆરી 2021

મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્ત દર્દોઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન, રાજ્યના ઘણા નવા જિલ્લાઓમાં વાયરસ પગપસારો કરી રહ્યો છે. મહારાષ્ટ્રના 36 જિલ્લાઓમાંથી, છેલ્લાં બે સપ્તાહમાં 28 માં સક્રિય કેસ નોંધાયા છે. જોકે 10 દિવસ પહેલા જિલ્લાઓની સંખ્યા 21 હતી.

આરોગ્ય વિભાગના આંકડા દર્શાવે છે કે અમરાવતી, અકોલા, બુલઢાના, યવતમાલ અને નાગપુર વિદર્ભના નવા હોટસ્પોટ્સ તરીકે ઉભરી રહ્યા છે. તો બીજી તરફ મરાઠાવાડા લાતુર, હિંગોલી, પરભણી અને નાંદેડ જિલ્લામાં પણ હવે કોરોના ના કેસો મોટી સંખ્યામાં વધી રહ્યા છે..  

પુના 12,577 કેસ સાથે બીજા ક્રમે છે અને 9,141 કેસ સાથે નાગપુર ત્રીજા ક્રમે છે. મુંબઈમાં કોરોનાના 7,899 કેસ છે. થાણેમાં 7,276 અને અમરાવતીમાં 6,740 સક્રિય કેસ છે. રાજ્યના કુલ સક્રિય કેસોમાં આ પાંચ જિલ્લાઓમાં સક્રિય કેસ લગભગ 65 ટકા છે. નાગપુરની 50 લાખની વસ્તીના આધારે વધુ કેસ છે. બીજી તરફ, મુંબઈમાં એક કરોડ 30 લાખની વસ્તીના આધારે ઓછા કેસ છે. દરમિયાન મરાઠાવાડાની અંદર ઓરંગાબાદમાં સક્રિય કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. 1 ફેબ્રુઆરીએ કોરોનાના 347 કેસ હતા, જે શુક્રવારે વધીને 2,052 થઈ ગયા છે.

સરકાર દ્વારા જાહેર કરાયેલા ડેટા બતાવે છે કે 15 થી 21 ફેબ્રુઆરી દરમિયાન, અમરાવતીમાં સાપ્તાહિક પોઝિટિવ દર (19.4 ટકા) હતો. અકોલામાં પોઝિટિવ દર 10.5 ટકા અને બુલધનામાં 6.1 ટકા રહ્યો હતો. આ બધા જ જિલ્લાઓ વિदर्भમાં હતા. જોકે, અમરાવતીનો સાપ્તાહિક પોઝિટિવ દર સૌથી વધુ 41.5 ટકા રહ્યો છે, જ્યારે અકોલામાં 30.8 ટકા પોઝિટિવ દર રહ્યો છે.

Maharashtra: મહારાષ્ટ્રના વાતાવરણમાં મોટો ફેરફાર: આજે દિવસભર કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.
Baramati ZP Election 2026: સુનેત્રા પવારે જાળવી અજિત દાદાની પરંપરા: બારામતી જિલ્લા પરિષદની ચૂંટણી માટે વહેલી સવારે કર્યું મતદાન.
Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Exit mobile version