Site icon

ખર્ચ ઘટાડવા ભગવતી હોસ્પિટલમાં કોરોનાની સારવાર બંધ કરાશે.. જાણો સ્થાનિકોનું શું કહેવું છે..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

01 સપ્ટેમ્બર 2020

એક બાજુ મુંબઈના અમુક પરાઓમાં રિકવરી રેટ વધી રહ્યો છે. તેને કારણે કોરોનાના કેર સેન્ટરો મનપા બંધ કરી રહી છે. તો બીજી બાજુ ઉત્તર મુંબઈમાં કાંદીવલી સહિત અમુક વિસ્તારોમાં કોરોના નું સંક્રમણ વધુ ઘેરાયું છે . આવા સમયે બોરીવલીની ભગવતી હોસ્પિટલમાં કોરોના નું કેર સેન્ટર બંધ કરવાની વાત સામે આવતા લોકો રોષે ભરાયા છે. કારણ કે હાલ આ વિસ્તારમાં બીજી કોઇ સરકારી હોસ્પિટલ નથી. મલાડ કાંદીવલી થી લઈને દહીંસર સુધીના લોકો માટે ભગવતી હોસ્પિટલ જ સૌથી નજીક હોવાથી લોકોએ સારવાર ચાલુ રાખવાની માંગ કરી છે.  સ્થાનિક જનપ્રતિનિધિઓ એ પણ જનતાની માંગણી સામે ધ્યાન ન આપવામાં આવે તો જોરદાર વિરોધ કરવાના સંકેતો આપ્યા છે.. 

અત્રે એ જાણવું જરૂરી છે કે ઓગસ્ટ માસની શરૂઆતમાં જ બીએમસી કમિશનરે ખર્ચમાં ઘટાડો કરવા માટે મોટા ભાગના કોવિડ19 કેર સેન્ટરની સુવિધા બંધ કરવાની જાહેરાત કરી દીધી હતી. હાલ રિકવરી રેટ વધ્યો હોવાને કારણે મનપા દ્વારા કોરોના પોઝિટિવ રિપોર્ટ ધરાવતા દર્દીઓને પોતાના ઘરમાં જ કવોરોન્ટીન થવાનું કહેવામાં આવી રહ્યું છે. જેને કારણે મોટાભાગના સેન્ટરો ખાલી પડયા છે. આથી આ ખર્ચા ઓછા કરવા માટે મનપા એ મોટાભાગની સરકારી હોસ્પિટલોમાં તેમજ ખાનગી હોસ્પિટલોમાં અનામત રાખવામાં આવેલા સેન્ટરો બંધ કરવાનો નિર્ણય લીધો છે..  પરંતુ ઉત્તર મુંબઈના બોરીવલીમાં આવેલા ભગવતી હોસ્પિટલમાં કોરોનાની સારવાર ચાલુ રાખવાની સ્થાનિકોની માંગ સામે હજુ સુધી મનપાયે કોઈ પ્રત્યુતર આપ્યો નથી..  આના કારણે સ્થાનિક જનપ્રતિનિધિઓએ આંદોલન કરવાની ચીમકી આપી છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version