ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
22 જુલાઈ 2020
મુંબઈમાં અવિરત વરસાદ પડ્યો હોવાથી તુલસી અને વિહાર તળાવો ઓવરફ્લો થવાના આરે છે. આ વર્ષે કેચમેન્ટ વિસ્તારોમાં વરસાદ વધારે હતો, તેથી જળસંચય વધુ થયું છે. વળી, આ બંને સરોવરો શહેરને પાણી પહોંચાડતા અન્ય સરોવરોની તુલનામાં નાના પણ છે.
તુલસી તળાવની સ્ટોરેજ ક્ષમતા 139.17 મીટર છે. રવિવારે તળાવમાં પાણીનું સ્તર 139.07 મીટર સુધી હતું. તેથી, રવિવારે તળાવમાં 7,903 મિલિયન લિટર અથવા 98 ટકા પાણી એકઠું થયું હતું.
દરમિયાન, વિહાર જળાશયની સંગ્રહ ક્ષમતા 80.12 મીટર છે. રવિવારે તળાવમાં પાણીનું સ્તર 77.96 મીટર હતું. મુંબઈના સાત જળાશયો માં તુલસી એ સૌથી નાનું છે. જેનો કુલ પાણી પુરવઠામાં 1 ટકાનો હિસ્સો છે. તુલસી અને વિહાર બંને તળાવો સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન (SGNP) માં આવેલાં છે
આ બંને તળાવો ઉપરાંત, અપર વૈતરના, મોડક સાગર, તાનસા, મધ્ય વૈતરણા અને ભાતસા તળાવોથી મુંબઈને પાણી પહોંચાડવામાં આવે છે. અહેવાલો અનુસાર, દર વર્ષે ચોમાસાના અંત પછી, 31 ઓક્ટોબરના રોજ, તમામ તળાવોમાં પાણીની સપાટીની સમીક્ષા કરવામાં આવે છે. 1 ઓક્ટોબરના રોજ તમામ તળાવોમાં કુલ 14 લાખ 47 હજાર 363 મિલિયન લિટર પાણીની જરૂર હોય છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com