Site icon

જોરદાર વરસાદનો પ્રતાપ, તુલસી અને વિહાર લૅક ઓવરફ્લો થવાની કગાર પર…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

22 જુલાઈ 2020

મુંબઈમાં અવિરત વરસાદ પડ્યો હોવાથી તુલસી અને વિહાર તળાવો ઓવરફ્લો થવાના આરે છે. આ વર્ષે કેચમેન્ટ વિસ્તારોમાં વરસાદ વધારે હતો, તેથી જળસંચય વધુ થયું છે. વળી, આ બંને સરોવરો શહેરને પાણી પહોંચાડતા અન્ય સરોવરોની તુલનામાં નાના પણ છે.

તુલસી તળાવની સ્ટોરેજ ક્ષમતા 139.17 મીટર છે. રવિવારે તળાવમાં પાણીનું સ્તર 139.07 મીટર સુધી હતું. તેથી, રવિવારે તળાવમાં 7,903 મિલિયન લિટર અથવા 98 ટકા પાણી એકઠું થયું હતું.

દરમિયાન, વિહાર જળાશયની સંગ્રહ ક્ષમતા 80.12 મીટર છે. રવિવારે તળાવમાં પાણીનું સ્તર 77.96 મીટર હતું. મુંબઈના સાત જળાશયો માં તુલસી એ સૌથી નાનું છે. જેનો કુલ પાણી પુરવઠામાં 1 ટકાનો હિસ્સો છે. તુલસી અને વિહાર બંને તળાવો સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન (SGNP) માં આવેલાં છે

આ બંને તળાવો ઉપરાંત, અપર વૈતરના, મોડક સાગર, તાનસા, મધ્ય વૈતરણા અને ભાતસા તળાવોથી મુંબઈને પાણી પહોંચાડવામાં આવે છે. અહેવાલો અનુસાર, દર વર્ષે ચોમાસાના અંત પછી, 31 ઓક્ટોબરના રોજ, તમામ તળાવોમાં પાણીની સપાટીની સમીક્ષા કરવામાં આવે છે. 1 ઓક્ટોબરના રોજ તમામ તળાવોમાં કુલ 14 લાખ 47 હજાર 363 મિલિયન લિટર પાણીની જરૂર હોય છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2OOngkt  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version