Site icon News Continuous Bureau | Mumbai

બ્રહ્મપુત્રાના પાણીએ કર્યો વિનાશ, આસામના પુરમાં 76 લોકો ના મૃત્યુ, લગભગ 54 લાખ અસરગ્રસ્ત

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

આસામ

Join Our WhatsApp Channel

18 જુલાઈ 2020

આસામ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એ જણાવ્યું કે આજ સુધીમાં એટલે કે 17 જુલાઇ સુધીમાં પૂરને કારણે 30 જિલ્લામાં 76 લોકો મૃત્યુ પામ્યા અને 53,99,017 લોકોને અસરગ્રસ્ત થયાં છે.  એએસડીએમએ અહેવાલમાં જણાવાયું છે કે આસામ મા પુરની સ્થિતિ જોતા રાજ્યમાં કુલ 552 રાહત શિબિરોની સ્થાપના કરવામાં આવી છે અને વધુમાં, 2.4 લાખ હેક્ટરથી વધુની કૃષિની જમીનને પણ અસર થઈ છે. જ્યારે 76003 લોકોને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી સલામત સ્થળે સ્થળાંતર કરાયા છે.

આ અગાઉ રાજ્ય પ્રધાનએ કહ્યું હતું કે ચિરાંગ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારમાં પૂરને કારણે ડૂબી ગયા છે. દરમિયાન, પૂર્વ વડા પ્રધાન એચડી દેવે ગૌડાએ આસામના પૂર અંગે પોતાની ચિંતાઓ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે રાજ્યની પ્રજાએ પૂર અને કોવિડ -19 રોગચાળો સામે એક જ સમયે લડવું પડ્યું તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે વધુમાં કેન્દ્રને આસામની પરિસ્થિતિ પર "તાત્કાલિક ધ્યાન" આપવાની અને તાત્કાલિક રાહત આપવાની અપીલ કરી છે..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3hhSz35 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Amit Shah Mumbai Visit અમિત શાહના કાંડે સુનેત્રા પવારે બાંધી રાખડી! મુંબઈ આગમન પર રક્ષાબંધનની અનોખી ઉજવણી..
Voter List 2026 Maharashtra મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં? ૩૧ ઓગસ્ટે પ્રસિદ્ધ થશે નવી યાદી, આ રીતે કરો ઓનલાઇન તપાસ
IITGN Bajaj Auto Foundation Partnership એન્જિનિયરિંગ ક્ષેત્રે મહિલાઓને પ્રોત્સાહન આપવા IIT ગાંધીનગર અને બજાજ ઓટો ફાઉન્ડેશન વચ્ચે મહત્વપૂર્ણ ભાગીદારી
Pune Police Drugs Destruction પુણે પોલીસનો ડ્રગ્સ વિરુદ્ધ સપાટો, ૪ કરોડથી વધુ કિંમતના ૪૫૫ કિલો અમલી પદાર્થોનો નાશ
Exit mobile version