Site icon News Continuous Bureau | Mumbai

છેલ્લા દસ વર્ષથી જેલમાં બંધ બાપુને મુક્ત કરવા આશારામ બાપુના સાધકોની માંગ ને નવનિર્માણ પાર્ટી એ સમર્થન

News Continuous Bureau | Mumbai

ગુજરાત (Gujarat) અને દેશમાં છેલ્લા કેટલાક સમયથી મંદિરોની અને આશ્રમોની જમીનો(Lands of temples and ashrams) ખાલી કરાવવા દબાણ ઉભું કરવા તેમજ રાજકીય કારણોસર અનેક પરમ પૂજ્ય સંતો(Saints) વિરુદ્ધ વિવિધ પ્રકારના કેસો કરાવવામાં આવી રહ્યાં છે એવો આરોપ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ઘણાં કેસો પ્રથમ દ્રષ્ટિએ જોતાં જ શંકાસ્પદ લાગે છે તેવી લોકલાગણી છે. હવે જ્યારે ગુજરાતમાં ચૂંટણી થઈ રહી છે ત્યારે નવ નિર્માણ પાર્ટીએ આશારામ બાપુનું(Asharam Bapu) સમર્થન કર્યું છે. 

Join Our WhatsApp Channel

ગુજરાત નવનિર્માણ સેના(Gujarat Navnirman Sena) દ્વારા આસારામ બાપુને છોડાવવાની માંગણી ને ટેકો આપતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ(National President) અતુભાઈ દવે એ જણાવ્યું હતું કે પૂજ્ય સંતશ્રી આશારામ બાપુ વિરુદ્ધ કરવામાં આવેલા કેસો પણ શંકા ઉપજાવે તેવા છે અને હાલમાં આ કેસોમાં ન્યાયિક પ્રક્રિયા ચાલુ છે નામદાર સેશન્સ કોર્ટથી (Namdar Sessions Court) લઈને નામદાર સુપ્રીમ કોર્ટ(Supreme Court) સુધી ન્યાય માટે લડવાનો જેમ દરેક નાગરિકને અધિકાર છે અને એ અધિકાર પૂજ્ય બાપુજીને પણ છે અને ન્યાયિક પ્રક્રિયા મુજબ પોતાને નિર્દોષ સાબિત કરવા માટે પૂજ્ય બાપુજી નામદાર સુપ્રીમ કોર્ટ સુધી લડત આપશે.

આ સમાચાર પણ વાંચો : વાતાવરણ પલટાએ ખેડૂતોની ચિંતા વધારી છે- હજુ આગામી ૪ દિવસ તો રાજ્યના અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદનું અનુમાન છે

મહત્વની વાત એ છે કે બાપુ હતા ત્યારે તેઓ સનાતન ધર્મ(Sanatana Dharma) ની સતત ચિંતા કરતા હતા અને એ હતા ત્યારે મિશનરીઓ એટલી એક્ટિવ નહતી અને એમના જેલમાં ગયા બાદ ગ્રામ્ય વિસ્તારમાં(rural areas) મિશનરીઓ દ્વારા તેમનો પ્રચાર કરી સંતો મહાંતોને અંતરિયાળ વિસ્તારમાંથી ભગાડી અને ધર્મ પરિવર્તન નું કરી મોટાપાયે શરૂ કરવામાં આવ્યું છે. આ મામલે દાહોદ ની એક હોટલમાં ગુજરાત નવનિર્માણ સેના ના અધ્યક્ષ અતુલ દવે દ્વારા એક પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલિદાસ મહારાજ, શિવાનંદ સરસ્વતી મહારાજ, દાન બાપુ તેમજ મહેશભાઈ કટારા, અને બાપુના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version