Site icon News Continuous Bureau | Mumbai

છેલ્લા દસ વર્ષથી જેલમાં બંધ બાપુને મુક્ત કરવા આશારામ બાપુના સાધકોની માંગ ને નવનિર્માણ પાર્ટી એ સમર્થન

News Continuous Bureau | Mumbai

ગુજરાત (Gujarat) અને દેશમાં છેલ્લા કેટલાક સમયથી મંદિરોની અને આશ્રમોની જમીનો(Lands of temples and ashrams) ખાલી કરાવવા દબાણ ઉભું કરવા તેમજ રાજકીય કારણોસર અનેક પરમ પૂજ્ય સંતો(Saints) વિરુદ્ધ વિવિધ પ્રકારના કેસો કરાવવામાં આવી રહ્યાં છે એવો આરોપ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ઘણાં કેસો પ્રથમ દ્રષ્ટિએ જોતાં જ શંકાસ્પદ લાગે છે તેવી લોકલાગણી છે. હવે જ્યારે ગુજરાતમાં ચૂંટણી થઈ રહી છે ત્યારે નવ નિર્માણ પાર્ટીએ આશારામ બાપુનું(Asharam Bapu) સમર્થન કર્યું છે. 

Join Our WhatsApp Channel

ગુજરાત નવનિર્માણ સેના(Gujarat Navnirman Sena) દ્વારા આસારામ બાપુને છોડાવવાની માંગણી ને ટેકો આપતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ(National President) અતુભાઈ દવે એ જણાવ્યું હતું કે પૂજ્ય સંતશ્રી આશારામ બાપુ વિરુદ્ધ કરવામાં આવેલા કેસો પણ શંકા ઉપજાવે તેવા છે અને હાલમાં આ કેસોમાં ન્યાયિક પ્રક્રિયા ચાલુ છે નામદાર સેશન્સ કોર્ટથી (Namdar Sessions Court) લઈને નામદાર સુપ્રીમ કોર્ટ(Supreme Court) સુધી ન્યાય માટે લડવાનો જેમ દરેક નાગરિકને અધિકાર છે અને એ અધિકાર પૂજ્ય બાપુજીને પણ છે અને ન્યાયિક પ્રક્રિયા મુજબ પોતાને નિર્દોષ સાબિત કરવા માટે પૂજ્ય બાપુજી નામદાર સુપ્રીમ કોર્ટ સુધી લડત આપશે.

આ સમાચાર પણ વાંચો : વાતાવરણ પલટાએ ખેડૂતોની ચિંતા વધારી છે- હજુ આગામી ૪ દિવસ તો રાજ્યના અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદનું અનુમાન છે

મહત્વની વાત એ છે કે બાપુ હતા ત્યારે તેઓ સનાતન ધર્મ(Sanatana Dharma) ની સતત ચિંતા કરતા હતા અને એ હતા ત્યારે મિશનરીઓ એટલી એક્ટિવ નહતી અને એમના જેલમાં ગયા બાદ ગ્રામ્ય વિસ્તારમાં(rural areas) મિશનરીઓ દ્વારા તેમનો પ્રચાર કરી સંતો મહાંતોને અંતરિયાળ વિસ્તારમાંથી ભગાડી અને ધર્મ પરિવર્તન નું કરી મોટાપાયે શરૂ કરવામાં આવ્યું છે. આ મામલે દાહોદ ની એક હોટલમાં ગુજરાત નવનિર્માણ સેના ના અધ્યક્ષ અતુલ દવે દ્વારા એક પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલિદાસ મહારાજ, શિવાનંદ સરસ્વતી મહારાજ, દાન બાપુ તેમજ મહેશભાઈ કટારા, અને બાપુના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version