Site icon News Continuous Bureau | Mumbai

રાષ્ટ્રવાદી કોંંગ્રેસના વધુ એક નેતાને ED નો ફટકોઃ આટલા કરોડની માલમત્તા જપ્ત; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,

Join Our WhatsApp Channel

સોમવાર,

 સરકારના વિવિધ મંત્રીઓ પાછળ ડિરેક્ટોરેટ ઓફ રિકવરી (ED) હાથ ધોઈને પડી ગઈ છે. એનસીપીના નેતા અને રાજ્યના કેબિનેટ મંત્રી નવાબ મલિકની થોડા દિવસો પહેલા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને હવે ED ને હાથે  અન્ય મંત્રી ચઢી ગયા છે.અહેમદનગરના એનસીપીના નેતા અને ઉર્જા રાજ્ય મંત્રી પ્રાજક્ત તાનપુરેની નાગપુરમાં રામ ગણેશ ગડકરી સુગર ફેક્ટરીની 13.41 કરોડ રૂપિયાની સંપત્તિ ED દ્વારા જપ્ત કરવામાં આવી છે. અપરાધ શાખાએ ઓગસ્ટ 2019માં કેસ દાખલ કર્યા પછી, EDએ પ્રાજક્તા તાનપુરેની સુગર ફેક્ટરીની તપાસ શરૂ કરી હતી. તનપુરેનો જવાબ ગયા વર્ષે ડિસેમ્બરમાં નોંધવામાં આવ્યો હતો. આ તપાસ ચાલી રહી છે ત્યારે હવે EDએ તનપુરે સામે PMLA મુજબ કાર્યવાહી કરી છે અને મિલકત જપ્ત કરી છે.

EDએ ઉર્જા રાજ્ય મંત્રી પ્રાજક્ત તાનપુરેની નાગપુરમાં આવેલી રામ ગણેશ ગડકરી સુગર ફેક્ટરીની 90 એકર જમીન જપ્ત કરી છે. અન્ય 4.6 એકર જમીન પણ જપ્ત કરવામાં આવી છે. તેમના પર આરોપ છે કે રાજ્ય સહકારી બેંક દ્વારા ખાંડની ફેક્ટરી નજીવા દરે તાનપુરે સાથે જોડાયેલી કંપનીને વેચવામાં આવી હતી.

રાજકીય નેતાઓ સામે એક્શન, દિલ્હી હાઈકોર્ટે આ મામલે અનેક મોટી રાજકીય હસ્તિઓને મોકલી નોટિસ; પૂછ્યો આ સવાલ

કેન્દ્રની વિવિધ તપાસ એજન્સીઓએ રાજ્ય સરકારના અનેક મંત્રીઓ સામે કાર્યવાહી કરી છે. એનસીપી પાસે સૌથી વધુ મંત્રીઓ છે. એનસીપી નેતા અને પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ મહિનાઓથી કસ્ટડીમાં છે. નવાબ મલિકની પણ થોડા દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી છે અને તે EDની કસ્ટડીમાં છે. જે બાદ હવે કાર્યવાહી હાથ ધરનાર પ્રાજક્તા તનપુરે રાજ્ય મંત્રી પદની જવાબદારી સંભાળે છે અને તેઓ એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલના નજીકના સંબંધી પણ છે.

Manipur Violence મણિપુરમાં ભારે બબાલ 6 લોકોની ઘાતકી હત્યા, મૃતદેહ જોઈને લોકો ધ્રુજી ઉઠ્યા
Ferry Boat Service Suspended ચોમાસામાં ખાસ ફેરીબોટ સેવા બંધ; 15 જૂનથી 31 જુલાઈ સુધી પ્રવાસ ઠપ્પ
IMD Monsoon Update Maharashtra મહારાષ્ટ્રમાં ચોમાસા પર લાગી બ્રેક સોલાપુરહર્ણેમાં પવનો થંભી જતાં ખેડૂતો ચિંતિત, વાવણી ખોરવાઈ!
Maharashtra Politics Shocker ઠાકરે જૂથમાં ફરી મોટું ગાબડું પડવાની તૈયારીમાં? ૭ સાંસદોના પક્ષપલટાની ચર્ચાથી મુંબઈ સુધી દોડધામ!
Exit mobile version