ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 02 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ ભાજપના કાર્યકરોને ટાર્ગેટ કરીને થયેલી હિંસામાં સીબીઆઈએ વધુ ત્રણ ફરિયાદો નોંધી છે.
આમ સીબીઆઈ દ્વારા અત્યાર સુધીમાં બંગાળ હિંસામાં 34 ફરિયાદો દાખલ કરવામાં આવી છે
સીબીઆઈ દ્વારા વિવિધ જિલ્લાઓમાં હિંસાથી પ્રભાવિત લોકોની મુલાકાત કરવામાં આવી રહી છે.
મમતા બેનરજીની સરકારે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી છે અને હિંસાના મામલામાં કોલકાતા હાઈકોર્ટે આપેલા આદેશને પડકાર્યો છે.
ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટે બંગાળ હિંસાની સીબીઆઈ તપાસ માટે આદેશ આપ્યા બાદ સીબીઆઈની ટીમો રાજ્યમાં એક્શનમાં આવી છે.
KYC નિયમોના ઉલ્લંઘન પર RBI સખ્ત, આ બેન્ક પર ફટકાર્યો 25 લાખ રૂપિયાનો દંડ: જાણો વિગતે
