Site icon

આસામ વિધાનસભામાં આવ્યો નવો ખરડો : હિંદુ, જૈન અને શીખ બહુમતી ધરાવતા વિસ્તારોમાં અથવા મંદિરથીપાંચ કિલોમીટરનીઅંદર નહીં વેચી શકાય બીફ;જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧3 જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સર્માની આગેવાનીવાળી સરકારે સોમવારે રાજ્ય વિધાનસભામાં એક ખરડો રજૂ કર્યો હતો, જેનો હેતુ રાજ્યના એવા ભાગોમાં જ્યાં હિંદુઓ, જૈનો અને શીખો બહુમતી ધરાવે છે ત્યાં પશુઓની કતલ અને વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો છે. બિલમાં યોગ્ય દસ્તાવેજોની ગેરહાજરીમાં એક જિલ્લાથી બીજા જિલ્લામાં અને આસામની બહાર પશુઓના પરિવહનને કાયદાની વિરુદ્ધ ગણવાની દરખાસ્ત કરવામાં આવી છે. નવા સૂચિત કાયદા-આસામ પશુ સુરક્ષા બિલ 2021 હેઠળના ગુનાઓ બિનજામીનપાત્ર રહેશે.

સરમાએ ગૃહમાં બિલ રજૂ કર્યા બાદ કહ્યું હતું કે નવા કાયદાનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે જ્યાં મોટાભાગે હિન્દુઓ, જૈનો, શીખો અને માંસ ન ખાનારા લોકો હોય અને મંદિર અથવા સત્તાધિકારીઓ દ્વારા નિર્ધારિત કોઈપણ અન્ય સંસ્થાના પાંચ કિલોમીટરની ત્રિજ્યાની અંદર આવે છે ત્યાં પશુઓની કતલની મંજૂરી આપવામાં ન આવે. જોકેકેટલાક ધાર્મિક પ્રસંગો માટે છૂટ આપી શકાય છે.

અલ્ટામાઉન્ટ રોડનું આ બિલ્ડિંગ થઈ ગયું સીલ, આ બિલ્ડિંગમાં છે બૉલિવુડના પ્રખ્યાત અભિનેતાનું ઘર ; જાણો વિગત

જિલ્લામાં વેચાણ અને ખરીદીના હેતુથી રજિસ્ટર્ડ પશુ બજારોમાં પશુના પરિવહન માટે કોઈ પરવાનગી મેળવવાની જરૂર નથી. આ કાયદા અંતર્ગત દોષી સાબિત થયેલી કોઈપણ વ્યક્તિને ત્રણ વર્ષની જેલ અથવા ત્રણ લાખ રૂપિયાથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને સાથે એવી સજાની જોગવાઈ કરવામાં આવશે. નવા કાયદા હેઠળ જો કોઈ દોષી બીજી વખત સમાન અથવા સંબંધિત ગુનામાં દોષી સાબિત થાય છે, તો સજા બમણી કરવામાં આવશે. આ કાયદો આખા આસામમાં લાગુ થશે.

Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Exit mobile version