દૈનિક કોરોના કેસ વધતા મહારાષ્ટ્રના વધુ એક શહેરમાં લોકડાઉન લાગુ. જાણો વિગતે

by Dr. Mayur Parikh

ભારતમાં મહારાષ્ટ્રમાં કોરોના મહામારી કાળો કેર વર્તાવી રહી છે. 

જેના પગલે હવે સરકારે ઔરંગાબાદ જિલ્લામાં ૧૧ માર્ચથી સોમથી શુક્ર આંશિક લોકડાઉન અને શનિ-રવિમાં સંપુર્ણ લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે. 

જે અંતર્ગત મોલ અને સાપ્તાહિક બજારો બંધ રખાશે. લગ્ન અને અન્ય જાહેર સમારોહને પરવાનગી અપાશે નહીં. રેસ્ટોરન્ટ રાતના ૯ કલાક સુધી જ ચાલુ રાખી શકાશે. 

હાલ ઔરંગાબાદ જિલ્લામાં રાતના ૧૧થી સવારના ૬ સુધી નાઇટ કરફ્યૂ જારી છે.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More