Nitesh Rane speech : મુસ્લિમ વિરોધી નિવેદન આપીને મુશ્કેલીમાં મુકાયા ધારાસભ્ય નિતેશ રાણે, ભાજપે આ નિવેદનથી પોતાને અલગ કર્યું…

Nitesh Rane speech : મહારાષ્ટ્રના બીજેપી ધારાસભ્ય નીતીશ રાણેએ એક રેલીમાં નિવેદન આપતાં મુસ્લિમ સમુદાયને લઈને એવું નિવેદન આપ્યું છે કે જેનાથી ચકચાર મચી ગઈ છે. તેમણે મહંત રામગીરી વિરુદ્ધ મુસ્લિમ સમુદાય દ્વારા વિરોધ પ્રદર્શન અંગે ચેતવણી આપી હતી.

by kalpana Verat
Nitesh Rane speech FIR registered against BJP MLA Nitesh Rane for hurting religious sentiments

News Continuous Bureau | Mumbai   

 Nitesh Rane speech : મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણ તપી ગયું છે. ભાજપના ધારાસભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર નિતેશ રાણેના નિવેદન પર વિવાદ સર્જાયો છે. કનકવલીના ધારાસભ્ય રાણેએ અહેમદનગરમાં મહંત રામગીરી વિરુદ્ધ મુસ્લિમ સમુદાય દ્વારા વિરોધ પ્રદર્શન અંગે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે જો મહંત રામગીરી મહારાજ વિશે કંઈ કહેશે તો અમે મસ્જિદોમાં ઘૂસી જઈશું અને તેમને વીણી વીણીને મારી નાખીશું. નીતિશ રાણેએ કહ્યું કે જો તમે તમારા સમુદાયની ચિંતા કરતા હોવ તો અમારા રામગીરી મહારાજ વિશે કંઈ ન બોલો. તેમના આ નિવેદનને ઉશ્કેરણીજનક ગણાવીને કોંગ્રેસ અને આરજેડી સહિત અનેક પક્ષોએ તેની સખત નિંદા કરી છે.

Nitesh Rane speech : નિતેશ રાણે પર  ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરો

અહમદનગર જિલ્લાના શ્રીરામપુર અને તોફખાના પોલીસ અધિકારક્ષેત્રમાં ભાજપના ધારાસભ્ય નીતિશ રાણે વિરુદ્ધ બે ભડકાઉ ભાષણો કરવા બદલ બે એફઆઈઆર નોંધવામાં આવી છે. તેની સામે તોફખાના પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 302, 153 અને અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. નિતેશ રાણે પર ભડકાઉ ભાષણ આપવા અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે.  

  Nitesh Rane speech : ભાજપે આ વિવાદાસ્પદ નિવેદનથી પોતાને અલગ કરી દીધા 

દરમિયાન ભાજપે આ વિવાદાસ્પદ નિવેદનથી પોતાને અલગ કરી દીધા છે. ભાજપના પ્રવક્તા સિંહાએ નીતિશ રાણેના નિવેદનની નિંદા કરી અને એમ પણ કહ્યું કે રાણે વિરુદ્ધ બે એફઆઈઆર નોંધવામાં આવી છે. તેમણે હિન્દુ સમુદાય સામેના ગુનાઓ અંગે પસંદગીના આક્રોશ માટે કોંગ્રેસની ટીકા પણ કરી હતી. મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યુમાં ધારાસભ્ય નીતીશ રાણેની મુસ્લિમો પરની ટિપ્પણી પર ભાજપના પ્રવક્તા તુહિન સિન્હાએ કહ્યું હતું કે, રાણે દ્વારા ઉપયોગમાં લેવાતા શબ્દોની હું નિંદા કરું છું. આવા શબ્દોને જાહેર જીવનમાં કોઈ સ્થાન નથી અને કોઈ રાજકારણીએ આવું ક્યારેય ન કહેવું જોઈએ.

આ સમાચાર પણ વાંચો : Ecos Mobility IPO Listing : મંદીના માહોલમાં પણ શેર બજારના રોકાણકારોએ કરી કમાણી, આ કંપનીના શેર 17 ટકા પ્રીમિયમ પર થયા લિસ્ટેડ…

  Nitesh Rane speech : નિતેશ રાણેએ કેમ આપ્યું વિવાદાસ્પદ નિવેદન?

તમને જણાવી દઈએ કે, નીતિશ રાણેએ હિંદુ સંત મહંત રામગીરી મહારાજનો બચાવ કર્યો હતો, જેમના પર ઈસ્લામ અને પયગંબર મોહમ્મદ વિશે કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. એક કાર્યક્રમમાં રાણેએ ચેતવણી આપી હતી કે જો સંતને કોઈ નુકસાન થશે તો તેણે પરિણામ ભોગવવા પડશે.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More