Site icon News Continuous Bureau | Mumbai

આર્ટિકલ 370 હટ્યા બાદ કાશ્મીરમાં કેટલા આતંકી હુમલા થયા? રાજ્યસભામાં સરકારે આપ્યો આ જવાબ; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022

Join Our WhatsApp Channel

શુક્રવાર

 કલમ 370 હટ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં આતંકી ઘટનાઓને લઈને રાજ્યસભામાં સવાલ પૂછવામાં આવ્યો હતો. સાથે તે પણ પૂછવામાં આવ્યું કે અત્યાર સુધી કેટલા સુરક્ષાકર્મી આતંકીઓ સાથે અથડામણમાં શહીદ થયા છે. ત્યારબાદ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે તેનો જવાબ આપ્યો હતો.

ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં જણાવ્યુ કે જમ્મુ-કાશ્મીરથી કલમ 370 હટ્યા બાદ કુલ 439 આતંકીઓ માર્યા ગયા છે. સાથે આ ઘટનાઓમાં નાગરિકો અને સુરક્ષાદળોના પણ મૃત્યુ થયા છે. આ દરમિયાન 98 નાગરિક અને 109 સુરક્ષાકર્મી પણ શહીદ થયા છે. આર્ટિકલ 370 હટ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં કુલ 541 આતંકવાદી ઘટનાઓ થઈ છે. જાે કે લગભગ ૫.૩ કરોડની ખાનગી સંપત્તિનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. રાજસ્થાનના સાંસદ નીરજ ડાંગીના સવાલ પર આ જવાબ આપવામાં આવ્યો હતો. 

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની વધી શકે છે મુશ્કેલી, EDએ ચાર્જશીટમાં કર્યા આ ચોંકાવનારા ખુલાસા; જાણો વિગતે  

રાજ્યસભાના ચેરમેન એમ. વેંકૈયા નાયડુએ બુધવારે સાંસદોને સદનની કામગીરી કોઈ અવરોધ વગર ચાલી શકે તેની કાળજી લેવા અપીલ કરતા જણાવ્યું હતું કે તેમનું આચરણ એવું હોવું જોઇએ કે જેથી લોકોને ભારતના સંસદીય લોકતંત્રમાં ભરોસો જળવાઇ રહે. દેશના 5000 સાંસદો, વિધાયકો અને વિધાન પાર્ષદોએ આ ઐતિહાસિક વર્ષમાં સંકલ્પ લેવો જોઈએ કે લોકોને આ લોકશાહીમાં ભરોસો જળવાઇ રહે જેને તેઓ પાછલા ૭૦ વર્ષથી મજબૂત કરી રહ્યા છે. પાછલા બે સત્ર દરમિયાન ઊહાપોહના કારણે સંસદની કાર્યવાહી ખોરવાઇ હોવાનો ઉલ્લેખ કરતાં નાયડુએ જણાવ્યું હતું કે તેને લીધે વ્યથા થાય છે.

Konkan Murder Mystery Solved દારૂના નશામાં મિત્ર બોલી ગયો અને ખૂલી ગયું ‘૫ વર્ષ જૂની હત્યા’નું રહસ્ય મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કોંકણની મર્ડર મિસ્ટ્રી
Tinder Honeytrap Case ટિન્ડર ડેટિંગ પડી ભારે, હરિયાણાના જજને હનીટ્રેપ માં ફસાવી પડાવ્યા ૫૨ લાખ રૂપિયા
Praneet More FIR કોમેડિયન પ્રણિત મોરે પર કાનૂની સિકંજો ‘૩૭૦ બિરયાની’ શો બદલ નોંધાઈ FIR, અશ્લીલતા ફેલાવવાનો લાગ્યો મોટો આક્ષેપ
Kerala Health Alert West Nile Shigella કેરળમાં બે જીવલેણ બીમારીનો પંજો શું છે વેસ્ટ નાઈલ વાયરસ અને શિગેલા બેક્ટેરિયા? જાણો લક્ષણો અને બચવાના ઉપાયો
Exit mobile version