Site icon

મોહન ડેલકર આત્મહત્યા પ્રકરણમાં આ તારીખ સુધી કલેકટર પર કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

26 માર્ચ 2021

      દાદરાનગર હવેલીના સાંસદ  મોહન   ડેલકર ની આત્મહત્યા ના પડઘા મુંબઈ સુધી પડ્યા છે. સાંસદની આત્મહત્યા સંદર્ભે મુંબઈ પોલીસે અનેક લોકોની વિરુદ્ધ એફઆઇઆર નોંધી હતી. પરંતુ મોહન ડેલકર ના પુત્ર અભિનવ ડેલકરે સેલવાસ જિલ્લાના અધિકારી સંદીપ કુમાર સિંઘ વિરુદ્ધ પણ એક એફ.આઇ.આર નોંધાવી હતી.

      સંદિપકુમાર સિંઘે પોતાની વિરુદ્ધ થયેલી એફ.આર.આઈ ની સામે સ્વબચાવમાં,ગુનો રદ્ કરવાની અપીલ મુંબઈ હાઈકોર્ટમાં કરી છે. સંદિપકુમાર સિંઘે વરિષ્ઠ વકીલ અમિત દેસાઈ મારફત આ અપીલ કરી હતી. જેનો આજે મુંબઈ હાઈકોર્ટના ન્યાયાધીશ એસ એસ શિંદે અને ન્યાયાધીશ મનીષ પિત્તળે એ સંયુક્તપણે ફેસલો આપ્યો હતો. જેના અંતર્ગત નવ એપ્રિલ સુધી અધિકારીઓ ઉપર કોઇ કાર્યવાહી નહીં થાય.

     ઉલ્લેખનીય છે કે,મોહન ડેલકર આત્મહત્યા પ્રકરણમાં મુંબઈ પોલીસે અનેક ભાજપના નેતાઓની વિરુદ્ધમાં એફ.આર.આઈ નોંધી છે.તેમજ આ બધું એક રાજનૈતિક ષડયંત્ર છે, તેવા આરોપ પણ ભાજપના નેતાઓ પર લાગ્યા છે.

Maharashtra Election War: દેવેન્દ્ર ફડણવીસનો આદિત્ય ઠાકરે પર કટાક્ષ; રાજ ઠાકરેની નકલ અને ભાષણબાજીનો ઉલ્લેખ કરી સાધ્યું નિશાન
Ajit Pawar: ચૂંટણી પોતાની જગ્યાએ, દોસ્તી પોતાની જગ્યાએ! અજિત પવારનું મોટું નિવેદન, દેવેન્દ્ર ફડણવીસ સાથે ના સંબંધ ને લઈને કહી આવી વાત
KDMC Election 2026 Clash: ડોમ્બિવલીમાં ભાજપ અને એકનાથ શિંદે જૂથ વચ્ચે ભીષણ અથડામણ; 4 કાર્યકરો ગંભીર રીતે ઘાયલ, વિસ્તારમાં ભારે તણાવ.
Mumbai: મહારાષ્ટ્રમાં કુદરત રૂઠી! મકર સંક્રાંતિ પહેલા મુંબઈ-ઠાણેમાં વરસાદી માહોલ, જ્યારે મરાઠવાડા ઠંડીમાં ઠર્યું; જાણો હવામાન વિભાગની આગાહી.
Exit mobile version