Site icon News Continuous Bureau | Mumbai

મોહન ડેલકર આત્મહત્યા પ્રકરણમાં આ તારીખ સુધી કલેકટર પર કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

26 માર્ચ 2021

      દાદરાનગર હવેલીના સાંસદ  મોહન   ડેલકર ની આત્મહત્યા ના પડઘા મુંબઈ સુધી પડ્યા છે. સાંસદની આત્મહત્યા સંદર્ભે મુંબઈ પોલીસે અનેક લોકોની વિરુદ્ધ એફઆઇઆર નોંધી હતી. પરંતુ મોહન ડેલકર ના પુત્ર અભિનવ ડેલકરે સેલવાસ જિલ્લાના અધિકારી સંદીપ કુમાર સિંઘ વિરુદ્ધ પણ એક એફ.આઇ.આર નોંધાવી હતી.

      સંદિપકુમાર સિંઘે પોતાની વિરુદ્ધ થયેલી એફ.આર.આઈ ની સામે સ્વબચાવમાં,ગુનો રદ્ કરવાની અપીલ મુંબઈ હાઈકોર્ટમાં કરી છે. સંદિપકુમાર સિંઘે વરિષ્ઠ વકીલ અમિત દેસાઈ મારફત આ અપીલ કરી હતી. જેનો આજે મુંબઈ હાઈકોર્ટના ન્યાયાધીશ એસ એસ શિંદે અને ન્યાયાધીશ મનીષ પિત્તળે એ સંયુક્તપણે ફેસલો આપ્યો હતો. જેના અંતર્ગત નવ એપ્રિલ સુધી અધિકારીઓ ઉપર કોઇ કાર્યવાહી નહીં થાય.

     ઉલ્લેખનીય છે કે,મોહન ડેલકર આત્મહત્યા પ્રકરણમાં મુંબઈ પોલીસે અનેક ભાજપના નેતાઓની વિરુદ્ધમાં એફ.આર.આઈ નોંધી છે.તેમજ આ બધું એક રાજનૈતિક ષડયંત્ર છે, તેવા આરોપ પણ ભાજપના નેતાઓ પર લાગ્યા છે.

MSEDCL Assistant Engineer Arrested વીજ કનેક્શન આપવાના બદલે લાંચ માંગવી પડી ભારે MSEDCL નો એન્જિનિયર ૫૦ હજારની લાંચ લેતા એસીબીના સકંજામાં
Western Railway Train Cancellations અનરાધાર વરસાદથી મુંબઈગુજરાત રેલવે સેવાઓ ખોરવાઈ, ટ્રેક પર પાણી ભરાતા ટ્રેન વ્યવહાર પર માઠી અસર
IMD Heavy Rainfall Warning Maharashtra મુંબઈપુણે સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે વરસાદનો દૌર યથાવત; હવામાન વિભાગ દ્વારા રેડઓરેન્જ એલર્ટ જારી
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Exit mobile version