Site icon

આ વર્ષે મુંબઈમાં કમર્શિયલ નવરાત્રી નહીં થઈ શકે : મુંબઈ મહાનગરપાલિકાએ નિયમાવલી જાહેર કરી

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૩૦/૦૯/૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

મુંબઈ મહાનગરપાલિકાએ નવરાત્રી માટે નિયમાવલી જાહેર કરી દીધી છે. મુંબઈ મહાનગરપાલિકાની નિયમાવલી ને કારણે ચાલુ વર્ષે કોમર્શિયલ નવરાત્રી તેમજ શેરી ગરબા યોજવા મૂશ્કેલ થઇ પડશે.

મુંબઈ મહાનગરપાલિકાના આદેશ મુજબ નવરાત્રી દરમ્યાન માતાજીની મૂર્તિ બે ફૂટ અથવા ચાર ફૂટની જ સ્થાપના થઈ શકશે. આ ઉપરાંત વિસર્જન તેમજ મૂર્તિ લાવતી વખતે વધુમાં વધુ ૫ થી ૧૦ લોકો ઉપસ્થિત રહી શકશે. કોઈપણ સમયે નવરાત્રિના મંડપમાં ૧૦ થી વધુ લોકોને ઉપસ્થિત રહેવાની મનાઈ છે. મુંબઈ મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે નવરાત્રી દરમિયાન મંડળો સમાજસેવાના કામ એટલે કે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ હેલ્થ ચેકઅપ કેમ્પ જેવા કાર્યક્રમો આયોજિત કરે.

સાર્વજનિક નવરાત્રી મંડળ ને પરવાનગી લેવાની ફરજીયાત રહેશે. જોકે ચાલુ વર્ષે પરવાનગી માટે કોઈપણ ફી નહીં કરવી પડે. મુંબઈ મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે નવરાત્રિ દરમિયાન એકેય એવો કાર્યક્રમ યોજી નહીં શકાય જેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય.

આ ઉપરાંત મુંબઈ મહાનગરપાલિકાએ માતાજીની મૂર્તિના વિસર્જન માટે લોકોને  આહવાન કર્યું છે કે મૂર્તિને મંડપમાં જ વિસર્જિત કરવામાં આવે. તેમજ જો વિસર્જન ની વ્યવસ્થા ન હોય તો નજીક આવેલા સાર્વજનિક વિસર્જન સ્થળ પર વિસર્જન કરવામાં આવે. 

આમ ચાલુ વર્ષે હવે નવરાત્રી સાદગીપૂર્વક ઉજવવી પડશે.

Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Exit mobile version