Site icon News Continuous Bureau | Mumbai

મોટા સમાચાર : મુંબઈ શહેરમાં સાર્વજનિક ગણપતિ મંડળોએ આ વર્ષે પરવાનગી લેવાની નથી. સરકારે નવો આદેશ બહાર પાડ્યો છે… વાંચો વિગત…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

10 જુલાઈ 2020

આ વર્ષે ગણેશ મંડળોએ પ્રશાસનની પરવાનગી નહીં લેવી પડે. એના બદલે ગયા વર્ષના કાગળીયાના આધારે જ આ વર્ષે ગણપતી સ્થાપના કરી શકશે. એવી જાહેરાત મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. બીએમસી નું કહેવું છે કે, હાલ કોરોનાના ફેલાવાને ધ્યાનમાં રાખી અને લોકડાઉન ની સ્થિતિ ને લઇ પરવાનગી લેવા માટે ભક્તોને અને ગણપતિ મંડળોને મનપા ઓફિસ સુધી દોડાવવા નથી માંગતી.  

આ વર્ષે ગણેશ મંડળોને આર્થિક મંદીમાં રાહત આપવા માટે મંડપની જગ્યાનું ભાડું પણ માફ કરવામાં આવ્યું છે. બીજી બાજુ પોલીસ, ફાયરબ્રિગેડ, સહિત ટ્રાફિક વિભાગ ની નવી મંજૂરી લેવાના બદલે, ગયા વર્ષના પરમિશન લેટર પર અનુમતિ આપવામાં આવશે.

 નોંધનીય છે કે આ વર્ષે મહારાષ્ટ્ર સરકારે ચાર ફૂટથી ઊંચી ગણપતિની પ્રતિમા પર પ્રતિબંધ મૂક્યો છે. આમ છતાં ગણપતિ મંડળોવાળા ને કોઈ પણ જાતની મૂંઝવણ હોય કે પરેશાની ઉત્પન્ન થાય તો તુરંત જ સ્થાનિક મનપા ઓફિસ ની મદદ લેવા જણાવ્યું છે. જ્યાં સહાયક આયુક્ત સીધા જ ગણપતિ મંડળનો સંપર્ક કરી તેઓની સમસ્યા નો ઉકેલ લાવશે.

 ઉપરોક્ત તમામ છૂટ આપવામાં આવી છે પરંતુ ગણપતિ મંડળોએ પોતાના પંડાળોમાં થતી ભીડને કાબૂમાં કરવી પડશે અને સોશિયલ ડિસ્ટનસિંગ સહિત તમામ મેડિકલ ગાઈડલાઈન નું પાલન કરવું પડશે અને આ 'પાલન' ની લેખિતમાં બાંહેધરી પણ બીએમસીને આપવી પડશે. જે માટે ગણપતિ મંડળોએ આગામી 19 ઓગસ્ટ સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2Zdla3G  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version