આનંદો- આશરે બે વર્ષ બાદ મહારાષ્ટ્રમાં ધામધૂમથી થઇ શકશે દહીહાંડી અને ગણેશોત્સવની ઉજવણી- શિંદે સરકારે આપી આ મંજૂરી 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

કોરોનાના(Corona) કારણે છેલ્લા બે વર્ષથી દહીહંડી(Dahihandi) અને ગણેશોત્સવની(Ganeshotsav) ધૂમધામથી ઉજવણી પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યા હતા. જોકે હવે આ વર્ષે આ તહેવારોને ધૂમધામથી ઊજવવાને લીલી ઝંડી મળી ગઈ છે. આ વર્ષે ગણેશોત્સવ અને દહીહાંડી ઉત્સવ(festival) પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.

છેલ્લા બે વર્ષથી ગણેશોત્સવ દરમિયાન કોરોનાના નિયંત્રણોને(Corona restrictions) કારણે રાજ્યમાં દહીહંડી અને ગણેશોત્સવ સાદગીથી ઉજવવામાં આવે છે. પરંતુ આ વર્ષે ગણેશ ઉત્સવ પ્રતિબંધ વિના(Without restrictions) ઉજવવામાં આવશે, એવી જાહેરાત રાજ્યના મુખ્ય પ્રધાન(Chief Minister of the State) એકનાથ શિંદેએ(Eknath Shinde) કરી છે.

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ- એનસીપી સુપ્રીમો શરદ પવારનો મોટો નિર્ણય- પાર્ટીના આ વિભાગને છોડીને તમામ યુનિટોનું કર્યું વિસર્જન

રાજ્યમાં ગણેશોત્સવની ઉજવણી માટે એસટી પ્રશાસનને(ST Administration) વધારાની ટ્રેનો છોડવાની સૂચના આપવામાં આવી છે. વાહનવ્યવહાર વિભાગને(Transport Department) ટ્રાફિક પ્લાનિંગનો(Traffic Planning) આદેશ આપવામાં આવ્યો છે. હાઈવે પોલીસને(Highway Police) પણ મુખ્ય હાઈવે પર ટ્રાફિક જામ(traffic jam) ટાળવા સૂચના આપવામાં આવી છે.
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More