Site icon News Continuous Bureau | Mumbai

પદ્મ વિભૂષણથી સન્માનિત આ જાણીતા ઇતિહાસકાર-લેખકનું 99 વર્ષની વયે થયું નિધન, જાણો વિગતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 15 નવેમ્બર  2021 

Join Our WhatsApp Community

સોમવાર.

ભારતના જાણીતા ઇતિહાસકાર અને લેખક બાબાસાહેબ પુરંદરેનું આજે સવારે નિધન થયું છે 

તેમણે પુણેની દીનાનાથ મંગેશકર મેમોરિયલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

દીનાનાથ મંગેશકર હોસ્પિટલના આરોગ્ય નિર્દેશક ડૉ. ધનંજય કેલકરે મીડિયાને જણાવ્યું કે બાબાસાહેબને વય-સંબંધિત બિમારીઓ હતી

બાબાસાહેબ પુરંદરે લોકપ્રિય ઇતિહાસકાર-લેખક હોવા ઉપરાંત થિયેટર આર્ટિસ્ટ પણ હતા. 

એવું માનવામાં આવે છે કે મહાન નાટક જનતા રાજા (લોકોના રાજા) દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના ઇતિહાસને ઘરે-ઘરે પહોંચાડવામાં બાબાસાહેબની ભૂમિકા હતી.

બાબા પુરંદરેએ શિવાજીના જીવનથી લઈને તેમના વહીવટ અને તેમના સમયગાળાના કિલ્લાઓ પર ઘણા પુસ્તકો લખ્યા છે. 

આ ઉપરાંત, તેમણે છત્રપતિ- જટા રાજાના જીવન અને નેતૃત્વ શૈલી પર એક લોકપ્રિય નાટકનું નિર્દેશન પણ કર્યું.

તેમને 2019માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

કિવી પર કાંગારૂ ભારે પડ્યા: પ્રથમ વખત T20 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા ન્યૂઝિલેન્ડને હરાવીને ચેમ્પિયન બન્યું

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version