Site icon

જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં હવે કોઈ પણ જમીન ખરીદી શકે છે, કેદ્રએ જાહેરનામું બહાર પાડ્યું.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
27 ઓક્ટોબર 2020

હવે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કોઈ પણ જમીન ખરીદી શકે છે. ગૃહ મંત્રાલય દ્વારા નવા જમીન કાયદાની સૂચના જારી કરવામાં આવી છે. જો કે, ખેતીની જમીન પર પ્રતિબંધ ચાલુ રહેશે. આનો અર્થ એ છે કે વાવણી કરી શકાય એવી ખેતીની જમીન ફક્ત રાજ્યના લોકો માટે જ રહેશે. આ હુકમ તાત્કાલિક અસરથી અમલમાં આવશે. જમ્મુ-કાશ્મીર ઔદ્યોગિક વિકાસ નિગમની સ્થાપના પણ કરવામાં આવી છે. જેની મોટી મોટી કંપનીઓ રાજ્યમાં કારખાના સ્થાપી શકે અને સ્થાનીક લોકોને રોજગારી મળી શકે.. 

Join Our WhatsApp Community

તમને જણાવી દઇએ કે અગાઉ ફક્ત જમ્મુ-કાશ્મીરના રહેવાસી જ જમીન ખરીદી અને વેચાણ કરી શકતા હતા. હવે નવા કાયદા હેઠળ બહારથી જતા લોકો જમીન પણ ખરીદી શકે છે અને ત્યાં જ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય જમ્મુ-કાશ્મીર રાજ્યના પુનર્ગઠનની પહેલી વર્ષગાંઠના જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ હેઠળ આશરે ચાર દિવસ પહેલા આવ્યો હતો. નોંધપાત્ર વાત એ છે કે ગયા વર્ષે ઓગસ્ટમાં કેન્દ્ર સરકારે કલમ 370 રદ કરી હતી. જમ્મુ-કાશ્મીર 31 ઓક્ટોબર 2019 ના રોજ કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે અસ્તિત્વમાં આવ્યું. 

નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ કેન્દ્ર સરકારના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે. અબ્દુલ્લાએ કહ્યું, 'જમ્મુ-કાશ્મીરના જમીન માલિકી કાયદામાં કરવામાં આવેલ સુધારો અસ્વીકાર્ય છે. હવે જમ્મુ-કાશ્મીર વેચાણ માટે તૈયાર છે. નાના જમીન માલિકોએ આનો ભોગ બનવું પડશે..

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version