News Continuous Bureau | Mumbai
Maharashtra Politics : રાજ્યમાં આગામી લોકસભા ચૂંટણી ( Lok Sabha Elections ) માટે જલ્દી જ તારીખો જાહેર થવાની છે. ત્યારે હવે ફરી રાજ્યના રાજકારણમાં નવા સમીકરણ રચાશે તેવી આગાહી કરવામાં આવી રહી છે. રાજ ઠાકરેની ( Raj Thackeray ) મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ( MNS ) આગામી લોકસભા ચૂંટણીમાં મહાગઠબંધનમાં જોડાય તેવી શક્યતા છે. મહાગઠબંધનમાં MNS માટે 2 થી 3 બેઠકો છોડે તેવી શક્યતા છે.
મિડીયા રિપોર્ટ મુજબ, મનસેના નેતાઓએ થોડા દિવસો પહેલા રાજ્યમાં નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ( Devendra Fadnavis) સાથે મુલાકાત કરી હતી. સૂત્રોએ એવી પણ માહિતી આપી છે કે મનસે દિલ્હીમાં ભાજપના ( BJP ) વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરી રહી છે. એવું કહેવાય છે કે ભાજપ મુંબઈની અને અન્ય જગ્યાએ એક લોકસભા સીટ MNS માટે છોડવા તૈયાર છે.
ભાજપ MNS સાથે ગઠબંધન કરે તેવી શક્યતા છે…
ઉલ્લેખનીય છે કે, ભાજપ MNS સાથે ગઠબંધન ( Coalition ) કરે તેવી શક્યતા છે. કારણ કે તેની પાસે રાજ્યમાં 50 ટકાથી વધુ વોટ શેર છે. એવું કહેવાય છે કે રાજ્યમાં MNSના 7 ટકાથી વધુ મતદારો અને રાજ ઠાકરેની સભામાં ભીડને ધ્યાનમાં રાખીને મહાયુતિ MNSને સમાવવાની તૈયારી કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : India-Qatar Row: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડંકો વાગી ગયો, કતારની જેલમાં રહેલા આઠ નેવી અધિકારીઓ મુક્ત.. જાણો વિગત અહીં
એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે MNS દક્ષિણ મુંબઈ અને નાસિક બેઠકો પર જોર લગાવી રહી છે. શું MNS મહાગઠબંધનમાં જોડાશે? મહાયુતિમાંથી MNSને કઇ સીટો મળશે? શું વિધાનસભામાં પણ આ જ સમીકરણ જોવા મળશે? આવા અનેક સવાલોના જવાબ આવનારા સમયમાં મળશે.