Maharashtra Politics: મહારાષ્ટ્રમાં લોકસભા માટે મહાયુતિની સીટ વહેંચણી માટે હવે આ ફોર્મ્યુલા પર કામ કરાશે.. જાણો શિંદે અને અજીત પવાર જુથને કેટલી બેઠકો મળશે..

Maharashtra Politics: હાલ સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ સર્જાયો છે. થોડા જ સમયમાં સામાન્ય ચૂંટણી માટે તારીખ નક્કી કરવામાં આવી શકે છે, ત્યારે હવે મહારાષ્ટ્રમાં પણ મહાયુતિ પોતાની તૈયારીમાં હાલ વ્યસ્ત થઈ ગઈ છે. જેમાં પ્રથમ તે બેઠકની ફાળવણી પર ફોકસ કરી રહી છે.

by Bipin Mewada
Now this formula will be worked on for seat distribution of Mahayuti for Lok Sabha in Maharashtra.. Know how many seats Shinde and Ajit Pawar team will get

News Continuous Bureau | Mumbai  

Maharashtra Politics: આગામી લોકસભા ચૂંટણી ( Lok Sabha election ) માટે તમામ રાજકીય પક્ષોએ હાલ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી અને મહાયુતિ ( Mahayuti ) વચ્ચે સીધો મુકાબલો થવા જઈ રહ્યો છે. મિડીયા રિપોર્ટ મુજબ, એક તરફ મહા વિકાસ અઘાડી મહાયુતિને હરાવવા માટે વ્યૂહરચના બનાવી રહી છે. તો બીજી તરફ મહાયુતિની હવે બેઠક ફાળવણીની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. 

જો કે હજુ સુધી કોઈ પણ નેતાએ આ અંગે સત્તાવાર રીતે પોતાનું વલણ જાહેર કર્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર જે ફોર્મ્યુલા સામે આવી છે, તેમાં મહાગઠબંધનની સીટ વહેંચણીની ( Seat distribution ) ફોર્મ્યુલા લગભગ આ પ્રમાણે હશે. અપેક્ષા મુજબ, ભાજપ ( BJP  ) મહાગઠબંધનમાં મોટો દાવેદાર બનશે.

 ભાજપ મહારાષ્ટ્રમાં 32 જેટલી સીટો પર લોકસભાની ચૂંટણી લડશેઃ સુત્રો…

મિડીયા રિપોર્ટ અનુસાર, ભાજપ મહારાષ્ટ્રમાં 32 જેટલી સીટો પર લોકસભાની ચૂંટણી લડશે. ભાજપે 2019ની લોકસભા ચૂંટણીમાં 26 લોકસભા બેઠકો પર ચૂંટણી લડી હતી. તો શિવસેનાએ ( Shivsena ) 22 બેઠકો પર ચૂંટણી લડી હતી.

આ સમાચાર પણ વાંચો : Uttar Pradesh: લગ્નના માત્ર 5 માં દિવસે, નવપરિણીતાએ કર્યું આ કામ, પોલીસે કરી ધરપકડ.. જાણો શું છે આ આખો કિસ્સો..

બીજી તરફ આ ચૂંટણીમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેના જૂથને ( Eknath shinde ) માત્ર 12 બેઠકો પર જ સમાધાન કરવું પડશે. રસપ્રદ વાત એ છે કે શિવસેનાના 18 વર્તમાન સાંસદોમાંથી 13 સાંસદ એકનાથ શિંદેની સાથે છે. આમ છતાં શિંદે જૂથને ( Shinde group ) માત્ર 12 લોકસભા બેઠકો મળવાની શક્યતા છે.

તો હાલના સાંસદમાંથી કોની ટિકિટ કપાશે? તે જોવું મહત્વપૂર્ણ રહેશે. બીજી તરફ અજિત પવાર જૂથને ( Ajit Pawar Group ) લોકસભાની 4 બેઠકો મળવાની શક્યતા છે. અજિત પવાર જૂથ પાસે હાલમાં 3 સાંસદો છે. તેથી આગામી લોકસભાની ચૂંટણીમાં અજીત પવારને 4 બેઠકો મળવાના કારણે હાલ શિંદે જૂથ નારાજ થાય તેવી શક્યતા છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More