Site icon

Obesity-Free Gujarat: રાજ્ય સરકારનું ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન, યોગસંવાદ તથા યોગશિબિરના આયોજન અર્થે નિવાસી અધિક કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

Obesity-Free Gujarat: મેદસ્વિતામુકત ગુજરાત અભિયાન દ્વારા મેદસ્વિતા નિવારણ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે અભિયાન ઉપાડયું છે.

Obesity-Free Gujarat: Gujarat govt to launch new obesity control action plan soon

Obesity-Free Gujarat: Gujarat govt to launch new obesity control action plan soon

News Continuous Bureau | Mumbai

Obesity-Free Gujarat:  

Join Our WhatsApp Community

 આધુનિક જીવનશૈલી અને ખાનપાનની આદતોના કારણે બેઠાડું જીવન જીવનારા લોકોમાં મેદસ્વિતા વધી રહી છે, ત્યારે રાજ્ય સરકારે મેદસ્વિતામુકત ગુજરાત અભિયાન દ્વારા મેદસ્વિતા નિવારણ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે અભિયાન ઉપાડયું છે. જેના ભાગરૂપે આગામી તા.૩જી મેના રોજ યોગસંવાદ અને તા.૪થીએ યોગશિબિરના આયોજન અર્થે નિવાસી અધિક કલેકટરશ્રી વિજય રબારીની અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી.

બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, ‘મેદસ્વિતામુક્ત ગુજરાત’ના નિર્માણ માટે યોગબોર્ડ દ્વારા તા.૩ મેના રોજ સાંજે ૩:૩૦થી ૬:૦૦ વાગ્યા દરમિયાન વરાછાના સરદાર સ્મૃતિ ભવન ખાતે યોગ સંવાદ યોજાશે. આ સંવાદમાં મેદસ્વિતા નિવારણ અને યોગના ફાયદાઓ, યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનના માધ્યમથી નાગરિકોને તેમના સ્વાસ્થ્યની કાળજી લેવા પ્રેરણા મળે તે માટે વિવિધ સાધકો દ્વારા વકતવ્યો આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Garvi Gurjari : ગ્રામ્ય હસ્તકલા-હાથશાળ કલારોને ‘ગરવી ગુર્જરી’નો સથવારો, વર્ષ 2024-25માં સતત બીજા વર્ષે રેકૉર્ડ રૂ. 31.47 કરોડનું થયું વેચાણ

તા.૪ મેના રોજ સવારે ૫.૩૦ થી ૭.૩૦ વાગ્યા સુધી વેસુ સ્થિત DRB કોલેજ, ભરથાણા ખાતે ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં યોગ શિબિર યોજાશે. સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનના ભાગરૂપે આયોજિત આ શિબિરમાં નાગરિકોને યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાન કરાવાશે. જેમાં સુરતીઓને યોગશિબિરમાં બહોળી સંખ્યામાં ભાગ લેવાનો અનુરોધ કર્યો હતો.

યોગશિબિરમાં ટ્રાફિક, ફાયર, પાણી, બેકડ્રોપ, એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થાઓ સુનિશ્વિત કરવા જે તે વિભાગના અધિકારીઓને સૂચનાઓ આપી હતી. બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી વિક્રમ ભંડારી, જિલ્લા શિક્ષણાધિકારી ભગિરથસિંહ પરમાર, જિલ્લા યુવા વિકાસ અધિકારી રાધિકાબેન લાઠીયા, રમતગમત અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version