Site icon

વિવાદનો અંત: હરિયાણાના CM મનોહરલાલ ખટ્ટરે જાહેરમાં નમાઝ અદા કરવા પર આપ્યા આ આદેશ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 11 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શનિવાર.

હરિયાણાના ગુરુગ્રામમાં છેલ્લા ત્રણ મહિનાથી ચાલુ જાહેરમાં નમાજ પઢવાનો વિવાદ હવે શાંત થતો હોય તેમ જણાય રહ્યું છે.

પ્રાપ્ત જાણકારી મુજબ હરિયાણાના ગુરુગ્રામમાં શુક્રવારની નમાજ જાહેર મેદાનોમાં થતી હતી. આ મુદ્દે મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે આકરું વલણ અપનાવ્યું છે.

તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જાહેરમાં નમાજ ન થવી જોઈએ અને તેને સાંખી પણ નહીં લેવાય. મુસ્લિમ સમાજના લોકો પોતાના ઘરમાં જ નમાજ કરે.

સાથે તેમણે એમ પણ કહ્યું કે ગુરુગ્રામમાં જે પણ સ્થળોએ જાહેરમાં નમાજ પઢવાની મંજૂરી આપવામાં આવી હતી, તેને પાછી ખેંચી લેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં હિંદુ અને મુસ્લિમ સમુદાયોમાં જાહેરમાં નમાજ પઢવાને લઈને સર્જાયેલા વિવાદ વચ્ચે 37 સ્થળો પર નમાજ પઢવાની મંજૂરી આપવામાં આવી હતી.

હેલિકોપ્ટર ક્રેશ થયું ત્યાંના સ્થાનિક શિવકુમાર પાસે બિપિન રાવતે પાણી માંગ્યું હતું પરંતુ તે આપી ન શક્યા. જાણો છેલ્લા બિપીન રાવતના પળોની કહાની….
 

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version