આ દિવસે અને આ જગ્યાએ ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકી શકે છે : હવામાન વિભાગની ચેતવણી

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, ૧૭ મે 2021.

સોમવાર.

અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન/વાવાઝોડું "તાઉ'તે'' રાજ્યની ઉત્તર દિશાના ઉત્તરીય-પશ્ચિમી કાંઠે પહોંચવાની શક્યતાઓ છે. એક અંદાજ પ્રમાણે આ વાવાઝોડું રાજ્યના દરિયાકાંઠે આજે એટલે કે તા. 17 મે, 2021ના રોજ પોરબંદર અને ભાવનગરના મહુવા વચ્ચેથી મોડી સાંજે 8.00થી રાત્રિના 11.00 કલાક (2000-2300 IST) દરમિયાન પસાર થાય એવી પ્રબળ સંભાવના છે. આ વાવાઝોડાના લીધે પવનની ગતિ આશરે 155-165 કિમી પ્રતિ કલાકની હોઈ શકે છે, જેની તીવ્રતા 185 કિમી પ્રતિ કલાક પણ થઈ શકે છે.

મોસમ વિભાગની ગંભીર ચેતવણી : આગામી ૨૪ કલાકમાં ચક્રાવાત વરવું સ્વરૂપ ધારણ કરશે

આમ વાવાઝોડાને કારણે ગુજરાતમાં વ્યાપક નુકસાન થઈ શકવાની સંભાવના છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More