Site icon

Gujarat: ગુજરાતમાં: “વન સેતુ ચેતના યાત્રા”નો પ્રારંભ, આ 14 જિલ્લામાંથી થશે પસાર.. અંબાજી ખાતે થશે પૂર્ણાહુતિ

Gujarat: વન સેતુ ચેતના યાત્રા”નો 18 જાન્યુઆરીએ નવસારી જિલ્લાના ભીનાર ખાતે આવેલા 'જાનકી વન' થી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પ્રસ્થાન કરાવશે. આ યાત્રા 14 જિલ્લામાં અંદાજિત 1000 કી.મીનું અંતર કાપી તા.22 જાન્યુઆરીએ અંબાજી ખાતે પૂર્ણ થશે. યાત્રામાં અંદાજિત 51 જેટલા આદિજાતિ તાલુકાના ગામોના અંદાજિત 3 લાખ આદિવાસી ભાઈઓ બહેનોને સાંકળી લેવાશે

One Setu Chetna Yatra starts in Gujarat, it will pass through 14 districts.. will finish at Ambaji

One Setu Chetna Yatra starts in Gujarat, it will pass through 14 districts.. will finish at Ambaji

News Continuous Bureau | Mumbai

Gujarat: પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે ( Rishikesh Patel ) વન સેતુ ચેતના યાત્રા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આદિજાતિ બાંધવોને સ્પર્શતી 5 દિવસની “વન સેતુ ચેતના યાત્રા”નો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ( Bhupendra Patel ) અને નવસારીના સાસંદ શ્રી સી.આર. પાટીલના ( CR Patil ) હસ્તે તા.18 જાન્યુઆરીના રોજ નવસારી ( Navsari ) જિલ્લાના ભીનાર ખાતે આવેલા ‘જાનકી વન’ ખાતેથી પ્રસ્થાન કરવામાં આવશે. 

Join Our WhatsApp Community

યાત્રા ( One Setu Chetna Yatra ) વલસાડ,નવસારી,ડાંગ, તાપી, સુરત,ભરુચ, નર્મદા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા એમ કુલ 14 જિલ્લામાંથી પસાર થઈ અંદાજિત 1000 કી.મીનું અંતર કાપી તા.22 જાન્યુઆરીએ અંબાજી ખાતે પૂર્ણ થશે.

આ યાત્રામાં અંદાજિત 51 જેટલા આદિજાતિ તાલુકાના ગામોના અંદાજિત 3 લાખ આદિવાસી ભાઈઓ બહેનોને સાંકળી લેવામાં આવશે. આ યાત્રાના માર્ગમાં આવતા દરેક જિલ્લામાં 1 સ્ટેજ પ્રોગ્રામ અને 3 સ્થળોએ સ્વાગત કાર્યક્રમ, રાત્રીના સમયે ભજન સંધ્યા કાર્યક્રમ તેમજ યાત્રાના માર્ગમાં આવતા પ્રસિધ્ધ મંદીરોએ દર્શન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  Vibrant Gujarat Global Summit: ‘ગેટ વે ટૂ ધ ફ્યુચર’ની થીમ સાથે યોજાયેલી અમૃતકાળની પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો: પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ

આ યાત્રા દરમ્યાન વનસહભાગી મંડળીઓ જોડે મુલાકાત અને સંવાદ, મહિલા સ્વસહાય જૂથો સાથે મુલાકાત, વિશેષ સિધ્ધી પ્રાપ્ત કરનાર આદીવાસીઓનું સન્માન, સરકારના 20 વર્ષની સિધ્ધીઓનો અહેવાલ, રામમંદીર પ્રાણ પ્રતિષ્ઠાની સકારાત્મક ઉજવણી, સરકારી યોજનાઓની સમીક્ષા, એફ.આર.એ ના લાભો, યાત્રી સભા, જંગલ વિસ્તારના ગામોમાં વસતા આદિજાતિ સમુદાયના લોકોને મળી, રૂબરૂ સંવાદ થકી સ્થાનિક લોકોની સમસ્યાઓનું નિરાકરણ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Exit mobile version