તો સાર્વજનિક ટ્રાન્સર્પોટેશનમાં પ્રવાસ કરવા નહીં મળે, મહારાષ્ટ્ર સરકારે બોમ્બે હાઈ કોર્ટમાં કહીં આ વાત. જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 22 ડિસેમ્બર 2021

બુધવાર.

નાગરિકોને વેક્સિન લીધેલા સર્ટિફિકેટ વગર મુંબઈમાં ઉપનગરીય લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી આપવી કે નહીં તે બાબતે મહારાષ્ટ્ર સરકારે બુધવારે બોમ્બે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરી હતી અને કહ્યું હતું કે જે લોકોએ રસીના બંને ડોઝ લીધા નથી તેમને મુંબઈ લોકલ દ્વારા મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવે તો કોરોનાના મહામારી ફરી ફાટી નીકળવાની શક્યતા છે.

મુંબઈ ઉપનગરીય લોકલમાં મુસાફરી કરવા માટે કોરોના રસીના બંને ડોઝ લીધેલું સર્ટિફિકેટ દર્શાવવું ફરજિયાત છે. જોકે રાજ્ય સરકારના આ નિર્ણય સામે બે અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તે ગેરકાયદેસર અને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. 

તો શું મહારાષ્ટ્રમાં ફરી સ્કૂલો બંધ થશે? રાજ્યના શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે આપ્યા આ સંકેત . જાણો વિગત

આ મામલે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી, જેમાં સરકાર અને રેલવે પ્રશાસને અરજીઓમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર જવાબ આપવા માટે એક સપ્તાહનો સમય માંગ્યો હતો. તે મુજબ રાજ્ય સરકારે મુંબઈ હાઈકોર્ટમાં પોતાની બાજુ રાખી હતી. સરકારના દાવા મુજબ જે લોકોએ રસીના બંને ડોઝ લીધા નથી તેમને મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી તો કોરોના મહામારી ફરી ફેલાઈ શકે છે. તેથી, આવા લોકોને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ મુદ્દે આગામી સુનાવણી 3 જાન્યુઆરી 2022ના રોજ થશે. 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More