Pan Masala : મહારાષ્ટ્રમાં પાન મસાલા નહીં વેચાય, બોમ્બે હાઈકોર્ટે આ કંપનીને આપ્યો મોટો ઝટકો

Pan Masala : બોમ્બે હાઈકોર્ટે રજનીગંધા પાન મસાલાને મોટો ઝટકો આપ્યો છે અને પાન મસાલા પરનો પ્રતિબંધ હટાવવાનો ઈન્કાર કરી દીધો છે. મહારાષ્ટ્રમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, પરિવહન અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. હાઈકોર્ટે FDAના આ આદેશ પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે.

by kalpana Verat
Pan Masala HC Refuses Stay Ban On Pan Masala In Maharashtra

News Continuous Bureau | Mumbai

Pan Masala : બોમ્બે હાઈકોર્ટે ( Bombay High Court ) મહારાષ્ટ્રમાં પાન મસાલા ( Pan Masala ) પર એફડીએ ના પ્રતિબંધને હટાવવાનો ઈન્કાર કરી દીધો છે. મહારાષ્ટ્રમાં FDA દ્વારા પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, પરિવહન અને વેચાણ પર પ્રતિબંધ છે. આ પ્રતિબંધ એડિટિવ્સ સાથે અને વગર બંને લાગુ છે. જસ્ટિસ જીએસ કુલકર્ણી અને જસ્ટિસ ફિરદોશ પી પૂનીવાલાની બેન્ચે આ ચુકાદો આપ્યો છે. નાગરિકોના સ્વાસ્થ્ય માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાથી સોપારી પરનો પ્રતિબંધ ચાલુ રહેશે.

મહારાષ્ટ્ર સરકારને છે તેના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ રજનીગંધા પાન મસાલા ( Pan Masala ) કંપનીના ધરમપાલ સત્યપાલ દ્વારા પ્રતિબંધ ( Ban )  હટાવવા માટે અરજી કરવામાં આવી હતી. પરંતુ સુનાવણી દરમિયાન, કોર્ટે પ્રતિબંધ પર ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘દરેક રાજ્યની જવાબદારી છે કે તે પોતાના નાગરિકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે. ઉત્તર પ્રદેશ સરકારને તેના નાગરિકોની ચિંતા નથી, પરંતુ મહારાષ્ટ્ર ( Maharashtra )  સરકારને તેના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા છે. તેથી, અમે અસ્થાયી ધોરણે પાન મસાલા પરના પ્રતિબંધ પર સ્ટે મૂકીને અરજદારોને અહીં પાન મસાલા વેચવાની મંજૂરી આપી શકતા નથી. ઉપરાંત, તેમણે રાજ્ય સરકારના નિર્ણય પર વચગાળાના સ્ટેની માંગને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

શું છે અરજીમાં?

અરજદારો દ્વારા કરવામાં આવેલા દાવામાં, પાન મસાલા FDAના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ રેગ્યુલેશન્સ, 2011 મુજબ ‘ફૂડ’ની શ્રેણીમાં આવે છે. તેમાં તમાકુ, નિકોટિનનો પણ સમાવેશ થતો નથી. કોર્ટ બંને પક્ષોને સાંભળવા જઈ રહી છે, તેથી આ કેસની આગામી સુનાવણી 1 એપ્રિલે હાથ ધરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Western Railway : અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ ટ્રેનના ટર્મિનલ સ્ટેશનમાં પરિવર્તન, આ ટ્રેનોના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર

 તમાકુ ઉત્પાદનો પર પ્રતિબંધ હજુ પણ ચાલુ છે:

રાજ્ય સરકાર દ્વારા 2012 માં પાન મસાલા અને તેના જેવા તમાકુ ઉત્પાદનો પરનો પ્રતિબંધ હજુ પણ ચાલુ છે. હવે 12 વર્ષ બાદ અરજદારોએ આ નિર્ણયને પડકાર્યો છે. ગુટખા પર પ્રતિબંધ મૂકનાર મહારાષ્ટ્ર દેશનું પ્રથમ રાજ્ય હતું. રાજ્ય સરકારે દાવો કર્યો છે કે તેણે વૈજ્ઞાનિક અભ્યાસ બાદ જ પ્રતિબંધનો આ વ્યૂહાત્મક નિર્ણય લીધો છે.

 અરજીમાં શું કહેવામાં આવ્યું?

ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશ ( FDA ) ને 18 જુલાઈ, 2023 ના રોજ એક પરિપત્ર બહાર પાડ્યો હતો, જેમાં સમગ્ર રાજ્યમાં ગુટખા, પાન મસાલા અને સમાન તમાકુ ઉત્પાદનો પરનો પ્રતિબંધ એક વર્ષ માટે જાળવી રાખ્યો હતો. આ આદેશ અનુસાર, ઉત્પાદકોને એક વર્ષના સમયગાળા માટે તમાકુ અને સોપારીનો સંગ્રહ, વિતરણ, પરિવહન અને વેચાણ કરવા પર પ્રતિબંધ છે. આ નિર્ણય સામે રજનીગંધા પાન મસાલા કંપની વતી બોમ્બે હાઈકોર્ટમાં પડકાર ફેંકવામાં આવ્યો હતો. તેણે આ અરજીમાં કહ્યું હતું કે તેણે પાન મસાલા અને સુગંધિત સોપારીના વેચાણ પરના પ્રતિબંધને પડકાર્યો છે કારણ કે અમે તમાકુ ઉત્પાદનો સાથે સંબંધિત નથી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More