Site icon

Panguni Uthiram festival: તામિલનાડુના આ સ્થળે માત્ર માત્ર 9 લીંબુ 2.36 લાખમાં વેચાયા, કેમ છે આટલી કિંમત?

Panguni Uthiram festival: વાર્ષિક પંગુની ઉતરીરામ ઉત્સવ દરમિયાન, સેંકડો નિઃસંતાન યુગલો વિલ્લુપુરમના તિરુવન્નૈનાલ્લુર ગામમાં બે પહાડીઓના સંગમ પર સ્થિત એક નાના મંદિરમાં ભગવાન મુરુગના દર્શન કરવા આવે છે. જેમાં મંદિર મેનેજમેન્ટ દ્વારા લીંબુની હરાજી કરવામાં આવે છે

Panguni Uthiram festival: Only 9 lemons were sold at this place in Tamil Nadu for 2.36 lakhs, why such a price?

Panguni Uthiram festival: Only 9 lemons were sold at this place in Tamil Nadu for 2.36 lakhs, why such a price?

 News Continuous Bureau | Mumbai

Panguni Uthiram festival: તમિલનાડુના ( Tamil Nadu ) વિલ્લુપુરમ મંદિરમાં એક ધાર્મિક કાર્યક્રમમાં માત્ર 9 લીંબુ 2.36 લાખ રૂપિયામાં વેચાયા હતા. આટલા પૈસામાં લીંબુનો પૂરો બગીચા ખરીદી શકાય છે. તો આ લીંબુ આટલા ઊંચા ભાવે કેમ વેચાયા. 

Join Our WhatsApp Community

વાસ્તવમાં, ભગવાન મુરુગનની મૂર્તિ પાસે ભાલા પર આ લીંબુ ( Lemon ) અર્પણ કરવામાં આવે છે. ભાલા પર લગાવેલા આ લીંબુની મંગળવારે હરાજી કરવામાં આવી હતી. જ્યારે તેની હરાજી થઈ ત્યારે મંદિર સમૃદ્ધ થઈ ગયું હતું. લોકોએ 2.36 લાખ રૂપિયા આપીને આ લીંબુ ખરીદ્યા હતા.

ભગવાન મુરુગનું આ મંદિર તેના પવિત્ર લીંબુ માટે પ્રસિદ્ધ છે…

એક ધાર્મિક માન્યતા છે કે જે દંપત્તિને સંતાન ન હોય તેઓ આ લીંબુનું પાણી પીવાથી સંતાન પ્રાપ્ત કરી શકે છે. તેમજ ઘરમાં સમૃદ્ધી બની રહે છે.

આ સમાચાર પણ વાંચો : Lok Sabha Election 2024: મારી પાસે ચૂંટણી લડવા માટે પૈસા નથી, નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે તેઓ લોકસભા ચૂંટણી કેમ નથી લડી રહ્યા..

વિલ્લુપુરમના તિરુવન્નૈનાલ્લુરમાં ( Villupuram temple ) ભગવાન મુરુગનું ( lord murugan )  આ મંદિર તેના પવિત્ર લીંબુ માટે પ્રસિદ્ધ છે. લોકોની માન્યતા છે કે ભગવાન મુરુગના ભાલા સાથે જોડાયેલા આ લીંબુમાં જાદુઈ શક્તિઓ હોય છે.

નોંધનીય છે કે, વાર્ષિક પંગુની ઉતરીરામ ઉત્સવ દરમિયાન, સેંકડો નિઃસંતાન યુગલો વિલ્લુપુરમના તિરુવન્નૈનાલ્લુર ગામમાં બે પહાડીઓના સંગમ પર સ્થિત એક નાના મંદિરમાં ભગવાન મુરુગના દર્શન કરવા આવે છે. જેમાં મંદિર મેનેજમેન્ટ દ્વારા લીંબુની હરાજી કરવામાં આવે છે અને લોકો ઉંચી બોલી લગાવી આ લીંબુ અહીંથી ખરીદ્યે છે.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Rajya Sabha Election 2026: ચૂંરાજ્યસભા ચૂંટણીની તારીખો જાહેર: મહારાષ્ટ્રની ૭ બેઠકો માટે ૧૬ માર્ચે ખરાખરીનો જંગ; પાર્થ પવારના નામે રાજકીય સમીકરણો બદલ્યા!.
Muslim Reservation Maharashtra: મુસ્લિમ આરક્ષણ મુદ્દે મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: અચાનક કેમ લેવાયો રદ કરવાનો નિર્ણય? જાણો AIMIM ના કટાક્ષ અને વિવાદ પાછળનું અસલી કારણ.
Sunetra Pawar: NCPમાં ‘સુનેત્રા યુગ’નો પ્રારંભ! હવે સંગઠનની કમાન પણ સુનેત્રા પવારના હાથમાં,ભાજપમાં વિલીનીકરણની વાતો પર લાગ્યું પૂર્ણવિરામ
Maharashtra: શિક્ષણ પાછળ સરકારનો મોટો ખર્ચ: મહારાષ્ટ્ર સરકારે મંજૂર કર્યા ₹165 કરોડ, 41 લાખ બાળકોના ખભા પર હશે નવા-નક્કોર સરકારી દફતર
Exit mobile version