Site icon

અરેરે-લોકડાઉનમાં મજૂરોને ફ્લાઈટમાં ઘરે મોકલનારા ખેડૂતે કરી લીધી આત્મહત્યા-કારણ જાણી તમે પણ થઇ જશો ભાવુક

News Continuous Bureau | Mumbai

કોરોના મહામારી(Corona epidemic) દરમિયાન બિહારના મજૂરોને(Bihar Labourers) ઘરે મોકલવા માટે ફ્લાઈટની ટિકિટ (Flight ticket) ખરીદનારા ખેડૂતે આત્મહત્યા(Farmer suicide) કરી લીધી છે. પપ્પન સિંહ ગહલોતે(Pappan Singh Gehlot) મંગળવારે સાંજે ઉત્તર દિલ્હીના બહારના વિસ્તારમાં આવેલા તિગીપુર ગામ(Tigipur village) સ્થિત પોતાના ઘરેમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. પોલીસે જણાવ્યું કે સાંજે લગભગ પાંચ વાગે તેમને ઘટનાની સૂચના મળી. ગહલોતે એક સ્યૂસાઈડ નોટ (Suicide note) પણ છોડી છે. જેમાં તેમણે બ્લડ પ્રેશર અને શુગરનું લેવલ(Blood pressure and sugar levels) વધુ હોવાની સમસ્યાના કારણે આત્મહત્યા કરી હોવાનું કહ્યું છે.

Join Our WhatsApp Community

તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ(Postmortem) માટે નજીકની હોસ્પિટલ મોકલી દેવાયો. ગહલોત લોકડાઉન સમયે ખુબ ચર્ચામાં હતા. તેમણે પોતાના મજૂરોને ફ્લાઈટથી બિહાર મોકલ્યા હતા. જેથી કરીને કોવિડ-૧૯ મહામારી દરમિયાન પોતાના પરિવારને મળી શકે. અનેક લોકો તેમને દિલ્હીના સોનુ સૂદ કહેતા હતા. પોલીસના જણાવ્યાં મુજબ મશરૂમની ખેતી કરનારા ખેડૂત પપ્પન સિંહ ગહલોત મંગળવારે સાંજે લગભગ પાંચ વાગે તિગીપુર ગામમાં પોતાના ઘરની સામે આવેલા શિવ મંદિરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા.  

આ સમાચાર પણ વાંચો : પશ્ચિમ મહારાષ્ટ્રમાં ધરા ધણધણી ઊઠી- મધ્યરાત્રિના આ જિલ્લામાં અનુભવાયા ભૂકંપના આંચકા- આટલી હતી તીવ્રતા

બોલીવુડ અભિનેત્રી(Bollywood actress) માધુરી દિક્ષીતે(Madhuri Dixit) પણ રેડિયો પર તેમની કહાની સાંભળી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે કેવી રીતે તેમણે લોકોની મદદ કરી હતી. ગહલોતના પરિવારમાં તેમના પત્ની અને એક પુત્રી છે. પોલીસના જણાવ્યા મુજબ ગહલોત રોજ મંદિરે જતા હતા. જોકે મંગળવારે સાંજે પૂજારીએ તેમનો મૃતદેહ પંખાથી લટકતો જોયો અને પોલીસને જાણ કરી.

Kumbh Mela 2027: કુંભમેળા 2027 માટે નાસિક એરપોર્ટનો થશે ‘અસામાન્ય’ કાયાકલ્પ; યાત્રીઓની આવન-જાવન ક્ષમતામાં પણ મોટો વધારો થશે
Vanahar Mahotsav: આવો અને માણો વનઆહારની મજા: સ્વતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકમાં 22 અને 23 નવેમ્બરે યોજાશે ‘વનઆહાર મહોત્સવ’
Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Exit mobile version