શું મહારાષ્ટ્ર સરકાર પેટ્રોલ પંપ બંધ કરાવશે? આપ્યા આ સંકેત

by Dr. Mayur Parikh
Petrol, diesel prices to rise after OPEC oil production cut

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૬ એપ્રિલ 2021

શુક્રવાર

મહારાષ્ટ્રમાં લોકડાઉન હોવા છતાં રસ્તા પર ટ્રાફિક ઓછો નથી થઈ રહ્યો. લોકો કોઈને કોઈ બહાના હેઠળ વાહન લઇને રસ્તા પર નીકળી પડે છે. હવે આ પરિસ્થિતિ ને ઠેકાણે પાડવા મહારાષ્ટ્ર સરકાર કડક પગલાં લેવાનું વિચારી રહી છે. મહારાષ્ટ્રના પ્રધાન વિજય વડટ્ટીવારે પત્રકારોને કહ્યું હતું કે પેટ્રોલ પંપો માત્ર અતિઆવશ્યક સુવિધા પ્રદાન કરનાર વાહનો માટે જ ચાલુ રાખવાનો રાજ્ય સરકાર વિચાર કરી રહી છે. આ સંદર્ભે આગામી બે કે ત્રણ દિવસમાં નિર્ણય થઇ શકે છે.

આખરે કુંભમેળામાં 10 અખાડા માંથી એક અખાડો માની ગયો, કુંભ પુરો થયો તેની જાહેરાત કરાઈ.
 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More