Site icon News Continuous Bureau | Mumbai

PM Asha Scheme: ગુજરાત સરકાર ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી કરશે, ખેડૂતો આ તારીખ સુધી ઈ-ગ્રામ કેન્દ્રોથી ઓનલાઈન નોંધણી કરી શકશે

PM Asha Scheme: ખેડૂતો તા.૧૮ ફેબ્રુ.થી ૦૯ માર્ચ (૨૦ દિવસ) સુધી ગ્રામ્ય કક્ષાના ઈ-ગ્રામ કેન્દ્રોથી વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી કરી શકશે: તા.૧૪ માર્ચથી ખરીદીનો પ્રારંભ થશે

PM Asha Scheme Gujarat government will purchase gram and raida at support price

PM Asha Scheme Gujarat government will purchase gram and raida at support price

News Continuous Bureau | Mumbai

PM Asha Scheme: રાજ્યના ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને આર્થિક સુરક્ષા મળે તે માટે સરકાર દ્વારા ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે. ખેડૂતો તા.૧૮ ફેબ્રુ.થી ૦૯ માર્ચ (૨૦ દિવસ) સુધી ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી કરી શકશે. નોંધણી નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર થશે.
ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે ચણાના રૂ.૫૬૫૦ અને રાયડાના રૂ.૫૯૫૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. પીએમ આશા (પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન) યોજના અંતર્ગત પીએસએસ હેઠળ રાજયમાં ચણા અને રાયડા પાકની ટેકાના ભાવે વિવિધ ખરીદી કેન્દ્રોથી ખરીદી થશે. તા.૧૪ માર્ચથી ખરીદીનો પ્રારંભ થશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: ED BBC India : BBC India ઇડીની રડાર પર, BBC ઈન્ડિયાને ફટકાર્યો અધધ આટલા કરોડનો દંડ: 3 ડિરેક્ટરો સામે પણ કાર્યવાહી..
PM Asha Scheme: રાજ્ય સરકાર ચણા અને રાયડાની પાકની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરશે. જે માટે સરકારે આગોતરૂ આયોજન હાથ ધર્યું છે. જેથી ચણા અને રાયડો પકવતા ખેડૂતોને વધુમાં વધુ લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

GIFT City Liquor Policy ગિફ્ટ સિટીમાં દારૂ સસ્તો થયો વેટ 65% થી ઘટાડી 25% કર્યો, સ્પેશિયલ ફી નાબૂદ
Rahul Narwekar આશા ભોંસલે માટેના શોક પ્રસ્તાવમાં ભૂલ વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે માંગી માફી
Heavy Rainfall ભારે વરસાદ વચ્ચે માલશેજ ઘાટમાં લેન્ડસ્લાઈડ, રસ્તો બંધ; મુસાફરોની સુરક્ષા જોખમમાં
Punjabrao Dakh Rain Forecast Maharashtra મહારાષ્ટ્રમાં ૨૪ થી ૨૮ જૂન દરમિયાન મુશળધાર વરસાદની આગાહી, પંજાબરાવ ડખે કહ્યું ડેમો પાણીથી છલકાશે
Exit mobile version